નેશનલ

ટ્રેનમાં હવે જલ્દી મળશે કન્ફર્મ ટિકિટ, ભારતીય રેલવેએ નક્કી કરી વેઇટિંગ લિસ્ટની મર્યાદા

વેઇટિંગ લિસ્ટની ક્ષમતા 25 ટકા કરાઈ છે

નવી દિલ્હી: દેશનો એક મોટાભાગનો વર્ગ ટ્રેનમાં મુસાફરી કરે છે. કેટલાક લોકો ટ્રેનમાં સારી જગ્યા મેળવવા માટે ટિકિટ બુક પણ કરાવતા હોય છે. પરંતુ ક્યારેક ટિકિટ બુક ન થવાને કારણે વેઇટિંગ ટિકિટ લેવી પડતી હોય છે. ઘણીવાર વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેની યાત્રીઓને ચિંતા સતાવતી હોય છે. પરંતુ હવે આ ચિંતા યાત્રીઓને સતાવશે નહીં. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વેઇટિંગ લિસ્ટની સંખ્યા 25 ટકા કરાઈ

રેલ મંત્રાલયે જાહેરાત કરી છે કે, કોઈપણ ટ્રેનમાં હવે વેઇટિંગ ટિકિટની સંખ્યા ટ્રેનની કુલ સીટના 25 ટકા સુધી મર્યાદિત રહેશે. તેથી હવે રેલવે દ્વારા ટ્રેનના એસી ફર્સ્ટ ક્લાસ, એસી સેકંડ, એસી થર્ડ, સ્લીપર અને ચેર કારમાં કુલ સીટો પૈકીની વધુમાં વધુ 25 ટકા સીટોને વેઇટિંગ લિસ્ટમાં જાહેર કરશે. દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે રિઝર્વેશન સીટ જેવા વિવિધ ક્વોટાને ધ્યાનમાં રાખીને આ નિર્યણ કરવામાં આવ્યો છે.

રેલ મંત્રાલયનો આ નિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો, મેલ/એક્સપ્રેસ અને સુપરફાસ્ટ જેવી તમામ પ્રકારની ટ્રેનોને લાગુ પડશે. જો કોઈ ટ્રેનમાં 1000 સીટ છે, તો વધુમાં વધુ 250 વેઇટિંગ લિસ્ટ ટિકિટ જાહેર કરવામાં આવશે. રેલવેના અધિકારીઓના જણાવ્યાનુસાર, જ્યાં સુધી ચાર્ટ તૈયાર થાય છે, ત્યાં સુધી લગભગ 20થી 25 ટકા વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થઈ જાય છે. જેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો -‏‏‎ શુભાંશુ શુક્લાને સ્પેશ સ્ટેશન પર લઈ જનારા AXIOM-4 મિશનને નાસાએ ફરી મુલતવી રાખ્યું

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2013ના સર્કુલર અનુસાર અત્યારસુધી એસી ફર્સ્ટ ક્લાસમાં વધુમાં વધુ 30, એસી સેકંડમાં 100, થર્ડ એસીમાં 300 અને સ્લીપર ક્લાસમાં 400 વેઇટિંગ ટિકિટ જાહેર કરવામાં આવતી હતી. જેથી યાત્રીઓને છેલ્લી ઘડીએ પોતાની ટિકિટ કન્ફર્મ થવાની ચિંતા સતાવતી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button