નેશનલ

રાજસ્થાનમાં 964 પાકિસ્તાની શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, લોકોના ચહેરા પર છવાઈ ખુશીઓ

જોધપુરઃ રાજસ્થાન (Rajasthan)ના જોધપુર (Jodhpur )માં 964 પાકિસ્તાની શરણાર્થીઓ (Pakistani Refugees)ને ગઈ કાલે 19 જૂને ભારતીય નાગરિકતા (Government of India Citizenship Program) આપવામાં આવી હતી. આ માટે ભારત સરકાર દ્વારા તેમને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું હતું. નવું પ્રમાણપત્ર જોઈને આ બધા લોકોના ચહેરા પર સંતોષની લાગણી અને અનેરો આનંદ જોવા મળ્યો હતો. પ્રમાણપત્ર મળતાં આ બધા નવા નાગરિકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ બધા લોકો પહેલીવાર કોઈ દેશના પ્રમાણિત નાગરિક બન્યા છે અને તેમને નામ અને સન્માન મળ્યું છે.

પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપવામાં આવ્યાં

રાજસ્થાનના વસ્તી ગણતરી સંચાલન નિર્દેશાલયના નિયામક વિષ્ણુ ચરણ મલ્લિકે જોધપુરના ડૉ. એસ.એન. મેડિકલ કોલેજના સભાગૃહમાં આયોજિત એક ખાસ નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ શિબિરમાં પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં. આ લોકો વર્ષોથી પોતાની ઓળખ માટે લડી રહ્યાં હતા. ત્યારે હવે તેમને ભારતની નાગરિક મળી જતા પોતાના એક ઓળખ મળી છે. જેથી સ્વાભાવિક છે કે, તેના કારણે લોકો હવે સુખેથી ભારતમાં રહી શકશે.

આ પ્રમાણપત્રો માત્ર સંખ્યાઓ નથી, પરંતુ સંઘર્ષ અને હિંમતની 964 કહાણી છે

ડિરેક્ટર મલ્લિકે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ બધા લોકો માટે એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે વિસ્થાપિત લોકોનો સંઘર્ષ, ધૈર્ય અને આશા ખૂબ જ મુશ્કેલ છે. આ તેમનો વિજય છે, તેથી બધા નવા નાગરિકોને અભિનંદન. વધુમાં કહ્યું હવે તેમના પાસે માત્ર કાગળો જ નહીં પરંતુ ઓળખ પણ છે. આ લોકોના વિસ્થાપનનું દુઃખ હવે ભારતીય નાગરિક હોવાના ગર્વમાં ફેરવાઈ ગયું છે’. વધુમાં મહત્વની વાત કરતા કહ્યું કે, આ 964 પ્રમાણપત્રો માત્ર સંખ્યાઓ નથી, પરંતુ સંઘર્ષ અને હિંમતની 964 કહાણીઓ છે.

આજે 2000 લોકોને ભારતીય નાગરિકતા મળશે

આ બાબતે જિલ્લા કલેક્ટર શ્રી ઉદય ભાનુ ચરણે વિગતો આપતા જણાવ્યું કે, આ રાજ્યસ્તરનો નાગરિકતા કાર્યક્રમ છે, જે બે દિવસ સુધી ચાલવાનો છે’ જેનો અર્થ એ છે કે, આ કાર્યક્રમ આજે સવારે 9 વાગ્યાથી સાંજે 06 વાગ્યા સુધી ચાલવાનો છે. કલેક્ટરના જણાવ્યાં પ્રમાણે આજે 2000 લોકોને નાગરિકતા મળવાની છે. ગઈ કાલે આ કાર્યક્રમ દરમિયાન 964 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.

આ પણ વાંચો…અમેરિકા પહોંચેલું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ આંતકવાદ મુદ્દે ઘેરાયું, બેડ શેરમને કહ્યું જૈશ-એ-મોહમ્મદને ખતમ કરો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button