સોનમે 25 દિવસમાં 240 વખત જેની સાથે વાત કરી તે વ્યક્તિ કોણ છે? શિલોંગ પોલીસ ખોલ્યું મોબાઈલનું રાજ

ઈન્દોરઃ રાજા રઘુવંશી હત્યાકાંડમાં અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. શિલોંગ પોલીસ આ કેસમાં સોનમ સહિત અન્ય આરોપીઓની પૂછપરથ કરી રહી છે. આ દરમિયાન હવે હત્યાકાંડમાં અત્યારે સંજય વર્માનું નામ પ્રકાશમાં આવ્યું છે. આ નામે હવે પોલીસને પણ ચોંકાવી દીધી છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, સંજય વર્મા સાથે સોનમે 25 દિવસમાં એક બે વખત નહીં પરંતુ 240 વખત ફોન પર વાત કરી હતી. મહત્વની વાત એ છે કે, સંજય વર્મા કોઈ અન્ય વ્યક્તિ નથી પરંતુ સોનમનો પ્રેમી જ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર હકીકત….
સોનમે સંજય વર્મા નામના વ્યક્તિ સાથે 240 વખત ફોન પર વાત કરી
સંજય વર્મા બીજુ કોઈ નહીં પરંતુ રાજ કુશવાહા જ છે. તે પોતાની ઓળખ છુપાવીને સોનમ સાથે લગાતાર સંપર્કમાં હતો. જેથી પોલીસને આ કેસમાં વધુ એક લીડ મળી છે. આ કેસમાં પોલીસે સોનમ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. શિલોંગ પોલીસે અત્યારે આ કેસની તપાસ કરવા માટે ઇન્દોરમાં ધામા નાખ્યાં છે. શિલોંગ પોલીસ ઈન્દોરમાં સોનમની કાળી બેગની તપાસ કરી રહી છે. કારણ કે આ બેગમાં રાજાની હત્યા સાથે જોડાયેલા અનેક પુરાવા હોવાનું પોલીસને લાગી રહ્યું છે.
આ કેશમાં પોલીસે હજી શું શોધી રહી છે?
રાજા રઘુવંશીની હત્યાકેસમાં પોલીસ ત્રણ મોબાઈલ ફોનની પણ તપાસ કરી રહી છે. ઈન્દોરના એક રેસ્ટોરેન્ટમાં રાજ અને સોનમ અનેક વખત આવતા હતા. જેથી પોલીસ સ્ટાફ સાથે પૂછપરછ કરી રહી છે. પોલીસને શંકા છે કે, આ રેસ્ટોરેન્ટમાં બેસીને હત્યાનું પ્લાનિંગ કર્યું હશે. પોલીસે જણાવ્યું કે, રાજા સાથેના લગ્ન પહેલા સોનમે સંજય વર્મા નામના વ્યક્તિને 250 થી વધુ ફોન કોલ્સ કર્યા હતા. લગ્ન પછી પણ આ કોલ્સ ચાલુ રહ્યા. તેમણે કહ્યું કે પોલીસે વર્માને શોધવા માટે ઇન્દોરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેનો ફોન બંધ હતો. પછી ખબર પડી કે વર્મા બીજું કોઈ નહીં પણ રાજ કુશવાહ હતો, જેણે તેની પ્રેમિકાના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
આપણ વાંચો: રાહુલ ગાંધી 55 વર્ષના થયા: વડાપ્રધાન મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જાણો શું કહ્યું
રાજાની હત્યાથી કોને કોને ફાયદો થઈ શકે તેમ હતો?
પોલીસે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, રાજાની હત્યાથી કોને કોને ફાયદો થઈ શકે તેમ હતો? આ હત્યા પ્રેમ સંબંધ માટે થઈ છે કે, પછી તેની પાછળ કોઈ અન્ય વ્યક્તિને નાણાકીય લાભ થવાનો હતો? નાણાકીય લાભ એટલે માટે કારણે કે, રાજા રઘુવંશી વેપારી હતો અને તેની પાસે સારી એવી સંપત્તિ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બાબતે પણ પોલીસ તપાસ કરે તે જરૂરી છે. પોલીસે એવું જણાવ્યું કે પહેલા ત્રણ વખત ગુવાહાટી, નોંગ્રિયાટ અને વેઇસાડોંગમાં હત્યાનો પ્રયાસ થયેલો છે પરંતુ તે લોકોને સફળતા નહોતી મળી. પરંતુ ચોથા પ્રયત્નમાં આરોપીઓને સફળતા મળી ગઈ હતી.