અમદાવાદ પ્લેનક્રેશઃ 210 મૃતદેહોના ડીએનએ મેચ થયાઃ નાના બાળકોના ડીએનએ મેચ કરવાનું કામ કપરું

અમદાવાદ: 12 જૂન, 2025ના રોજ લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI-171) અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ફ્લાઈટમાં ક્રૂ મેમર સહિત 242 મુસાફરો સવાર હતા. જ્યારે આ ભયાનક દુર્ઘટનામાં 295 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે એક માત્ર મુસાફરનો આબાદ બચાવ થયો હતો. દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ ચાલુ છે, પરંતુ આ પ્રક્રિયામાં નાની ઉંમકના બાળકોની ઓળખ કરવામાં ફોરેન્સિક ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદના મેડિકલ કોલેજ હોસ્ટેલમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા બોઈંગ ડ્રીમલાઈનરમાં 242 યાત્રીઓ હતા, જેમાંથી માત્ર એક જીવિત બચ્યો. અત્યાર સુધીમાં 210 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે અને તેમને પરિવારજનોને સોંપવામાં આવ્યા. વિમાનમાં 12 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા 13 બાળકો હતા, જેમાં ત્રણ બાળકોની ઉંમર 2 વર્ષથી ઓછી હતી. સુરતના નાનાબાવા પરિવારની 4 વર્ષની સારા અને 18 મહિનાની ફાતિમા શેઠવાલાના મૃતદેહની ઓળખ કરી લેવામાં આવી.
DNA ઓળખમાં મુશ્કેલીઓ
નિષ્ણાંતોના મત પ્રમાણે, 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના DNA ઓળખવામાં મુશ્કેલી આવે છે, કારણ કે તેમનું શરીર નાનું હોય છે અને આગથી હાડકાંને પણ વધુ નુકસાન થયું હોય. જ્યારે પણ આગમાં બળીને મૃત્યું થાય છે, ત્યારે DNAમાટે છેલ્લો રસ્તો દાંત હોય છે. પરંતુ બાળકોના દૂધના દાંત નાના હોવાથી નષ્ટ થઈ જાય છે. આવામાં, ફોરેન્સિક ટીમ જડબામાંથી વિકસતા સ્થાયી દાંતનો ઉપયોગ કરે છે, જે જટિલ પ્રક્રિયા છે.
આપણ વાંચો: લાખણી તાલુકામાં થયેલ વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું હતું હત્યાનું કારણ?
ફોરેન્સિક પદ્ધતિ અને આશા
દુર્ઘટના બાદ લાગેલી આગ લગભગ 1600°Fથી વધુ તાપમાને પહોંચી, તમામ લોકોને બાળી નાખ્યા. ઉલ્લેખનીય છે કે, દાંતની ચાર્ટિંગ અને DNA દ્વારા 3-6 વર્ષના બાળકોની ઉંમર નક્કી કરવામાં આવે છે, જેની ફ્લાઈટ લિસ્ટ સાથે સરખામણી કરવામાં આવી રહી છે. મલબામાંથી વધુ નમૂના મળવાની શક્યતા છે. પરિવારોએ આશા ન છોડવી જોઈએ, કારણ કે DNA હજારો વર્ષ સુધી જીવિત રહી શકે છે.