ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ફરી એકવાર ધ્રુજી ઉઠી ધરા જાપાનની ધરા, વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

હોક્કાઇડો, જાપાનઃ વિશ્વમાં અત્યારે સ્થિતિ ખૂબ જ ભયાનક ચાલી રહી છે. યુદ્ધના વાદળ તો દરેક દેશો પર મંડરાઈ રહ્યાં છે. તેવામાં ભૂકંપની ઘટનાઓ પણ વધી રહી છે. જાપાન આજે એક પ્રચંડ ભૂકંપથી હચમચી ઉઠ્યું છે. જાપાનના હોક્કાઇડો કિનારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધાઈ છે. જાપાન હવામાન એજન્સી (JMA – Japan Meteorological Agency) એ ભૂકંપની પુષ્ટિ કરી છે. જાપાન હવામાન એજન્સીએ કહ્યું કે, ગુરુવારેના રોજ જાપાનના હોક્કાઇડો ક્ષેત્રમાં નેમુરો દ્વીપકલ્પના દક્ષિણપૂર્વ કિનારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 42.8 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 146.4 ડિગ્રી પૂર્વ રેખાંશ પર જોવા મળ્યું છે.

ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો

જાપાનમાં મોટાભાગે ભૂકંપ આવે એટલે સુનામીની આગાહી કરવામાં આવતી હોય છે. જોકે હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી, ભૂકંપના જોરદાર આંચકાથી આ વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. અત્યારે ભૂકંપ ખૂબ જ આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા પણ 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગઈ કાલે બુધવારે નેમુરોથી લગભગ 107 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં 14.9 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો. જાપાનમાં ભૂકંપ કે સુનામી જેવી કુદરતી આફતની ચર્ચા થઈ રહી છે. તેથી, જાપાની સરકાર અને ભૂકંપ વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરી છે. લોકોને કોઈપણ પ્રકારની આફતનો સામનો કરવા માટે તૈયાર રહેવા પણ કહેવામાં આવ્યું છે.

2011ના ભૂકંપે જાપાનમાં 15,000 લોકોના જીવ લીધા હતા

જાપાનમાં 2011માં સૌથી વધારે ભયાનક ભૂકંપ આવ્યો હતો. 2011માં 9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે આવેલી સુનામીએ 15,000 લોકોના જીવ લીધા હતા. વિશ્વમાં જાપન સૌથી વધારે ભૂકંપથી પ્રભાવિત દેશ છે. કારણે કે, જાપાનમાં સૌથી વધારે જ્વાળામુખી આવેલા છે. મોટા ભાગે જ્યારે પણ જાપાનમાં ભૂકંપ આવે છે ત્યારે સુનામી પણ આવતી હોય છે. પરંતુ આજે આવેલા 6.1ની તીવ્રતાના ભૂકંપમાં જાપાન હવામાન એજન્સી દ્વારા સુનામી કોઈ સૂચના આપવામાં આવી નથી. આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ કે કેમ? તેની વિગતો હજી પ્રકાશમાં આવી નથી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button