નૌકાદળની તાકાતમાં વધારોઃ દરિયામાં દુશ્મનનોને હંફાવશે INS Arnala

વિશાખાપટ્ટનમ/મુંબઈ: ભારતીય સેના નિરંતર પોતાનું બળ વધારતી રહે છે. વાયુસેનાના ફાઈટર જેટ અને ડ્રોનનું પરાક્રમ આપણને ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન જોવા મળ્યું હતું.
વાયુસેનાની જેમ નૌસેના પણ અત્યાધુનિક જહાજોથી સજ્જ છે, જે દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે છે. જોકે નૌસેનાની તાકતમાં હવે વધારો થયો છે. કારણ કે આજે નૌસેનામાં આઈએનએસ અર્નાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: વિશ્વની સૌથી તાકાતવર નૌસેનાઓ જાહેર; જાણો શક્તિશાળી નૌસેનાઓની યાદીમાં ભારતનું સ્થાન
આઈએનએસ અર્નાલાની વિશેષતા
વિશાખાપટ્ટનમ ખાતેના નૌસેના ડૉકયાર્ડ ખાતે આજે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈએનએસ અર્નાલાનો ભારતીય નૌસેનામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભારતના સીડીએસ જનરલ અનિલ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. આઈએનએસ અર્નાલા એ એન્ટી સબમરીન વૉરફેયર શૈલો વોટર ક્રાફ્ટ છે.
આઈએનએસ અર્નાલામાં 80 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 77 મીટર લાંબું અને 1480 ટનથી વધારે વજન ધરાવતું સૌથી મોટું ભારતીય નૌસેનાનું જહાજ છે. તે છીછરા પાણીમાં પણ પોતાની ઝડપને વધારી શકે છે.

આપણ વાંચો: Mission Ready, Anytime, Anywhere…! ભારતીય નૌસેનાએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત…
પોતાના મજબૂત નિર્માણ અને ઉચ્ચ ક્ષમતાઓથી ધરાવતું આઈએનએસ અર્નાલા દરિયાઈ વિસ્તારમાં આવતા પડકારોનો સામનો કરીને ભારતની રક્ષા કરશે. ખાસ કરીને તે દુશ્મનોની સબમરીનોનો સામનો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના વસઈ ખાતે અર્નાલા નામનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે. જેના પરથી નૌસેનાના આ નવા જહાજનું નામ રાખવામાં આવ્યું છે. તે ભારતીય નૌસેનાની વિરાસત દર્શાવે છે.