વિશ્વની શ્રેષ્ઠ એરવેઝમાં ભારતની કંપનીઓનું સ્થાન આટલું નીચે?

હાલમાં એવિએશન ઉદ્યોગમાં ઘણી ઘટનાઓની ચર્ચા ચાલી રહી છે, તેવામાં 2025ની વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન્સની યાદી જાહેર થઈ છે. સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરલાઇન એવોર્ડ્સ 2025માં કતાર એરવેઝે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ભારતની એર ઇન્ડિયા સતત બીજી વખત ટોપ 50ની લાઈનમાંથી બાકાત રહી હતી. આ રેન્કિંગમાં 100થી વધુ દેશોના મુસાફરોના સર્વેના આધારે 350થી વધુ એરલાઇન્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ એવોર્ડ્સને એવિએશન ઉદ્યોગના ‘ઓસ્કાર’ તરીકે ઓળખવામાં આવે છે.
વર્લ્ડસ બેસ્ટ એરલાઈનનું બિરુદ મળ્યું કતાર એરવેઝને
સ્કાયટ્રેક્સના 2025ના રેન્કિંગમાં કતાર એરવેઝે નવમી વખત ‘વર્લ્ડસ બેસ્ટ એરલાઇન’નું બિરુદ મેળવ્યું. તેની સાથે તેમણે શ્રેષ્ઠ બિઝનેસ ક્લાસ, શ્રેષ્ઠ બિઝનેસ ક્લાસ લાઉન્જ અને મધ્ય પૂર્વની શ્રેષ્ઠ એરલાઇનના એવોર્ડ પણ જીત્યા. બીજા સ્થાને સિંગાપોર એરલાઇન્સ, ત્રીજા સ્થાને કેથે પેસિફિક, ચોથા સ્થાને એમિરેટ્સ અને પાંચમા સ્થાને ANA ઓલ નિપ્પોન એરવેઝ રહી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એર ઈન્ડિયાને 90માં ક્રમે સ્થાન મળ્યું હતું. જ્યારે આ વર્ષે એર ઈન્ડિયાને 84માં ક્રમે સ્થાન મળ્યું છે.

કતાર એરવેઝની સફળતા તેની ઉચ્ચ સ્તરની સેવા, આધુનિક સુવિધાઓ અને મુસાફરોના સકારાત્મક પ્રતિસાદને આભારી છે. તેની QSuite બિઝનેસ ક્લાસ અને ઓરીક્સ વન એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમની ખૂબ પ્રશંસા થઈ છે. બીજી તરફ, એર ઇન્ડિયાએ પણ પોતાની સેવાઓમાં સુધારો કરીને રેન્કિંગમાં પ્રગતિ કરી છે, પરંતુ તાજેતરના અકસ્માત બાદ તેની છબીને નુકસાન થયું છે.
bઆ રેન્કિંગમાં એશિયા અને મધ્ય પૂર્વની એરલાઇન્સે ટોચના સ્થાનો પર પ્રભુત્વ જમાવ્યું છે, જેમાંથી સાત એરલાઇન્સ ટોપ 10માં સામેલ છે. યુરોપની એરલાઇન્સમાંથી ટર્કિશ એરલાઇન્સ સાતમા સ્થાને છે. ભારતની વિસ્તારા એરલાઇન 16મા ક્રમે રહી જે ભારત અને દક્ષિણ એશિયાની શ્રેષ્ઠ એરલાઇન તરીકે ઓળખાઈ છે. આ યાદી મુસાફરોના અનુભવ, સલામતી અને સેવાની ગુણવત્તા પર આધારિત છે.
ઉલ્લેખની છે કે 12 જૂનના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટનું અમદાવાદમાં અકસ્માત થયું. જેમાં 295 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના બાદ એર ઈન્ડિયાની ઘણી ફ્લાઈટોમાં ટેકનિકલ કારણોતી અવરોધો આવતા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. આવી ઘટનામાં સતત વધારો થતા એર ઈન્ડિયાની ફ્લાઈટની છબી ખરડાય છે, અને લોકોનો વિશ્વાસ એર ઈન્ડિયાની ફ્લાઈટ પર ઉડી રહ્યો છે.