એ જગ્યા પર સોનમ ફરી આવી જ્યાં ખેલાયો હતો ખુલી ખેલ…

શિલોંગ: દેશમાં ચકચાર ફેલાવનારી રાજા રઘુવંશી હત્યા કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે રાજાની પત્ની અને હત્યાના કથિત આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. વધુ તપાસ માટે તમામ આરોપીઓના રીમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. મેઘાલય પોલીસે મંગળવારે હત્યાના સ્થળ સોહરાના વેઇસાડોંગ ધોધ પર પહોંચી ક્રાઇમ સિનનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન સોનમ રઘુવંશી અને ત્રણ હત્યારાઓ સાથે હત્યાનું દૃશ્ય ફરી રજૂ કરવામાં આવ્યું. સોનમે પોતાના પતિ રાજાની હત્યાની યોજના લગ્ન પહેલાં જ ઘડી હતી અને હનીમૂન દરમિયાન તેને અંજામ આપ્યો. આ સાજિશમાં તેનો પ્રેમી રાજ કુશવાહા પણ સામેલ હતો.
પોલીસે સૂત્રોએ જણાવ્યું કે 23 મેના રોજ વેઇસાડોંગ ધોધ નજીક રાજાની હત્યા માટે એક નહીં, પરંતુ બે ધારદાર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇન્દોરના વેપારી રાજા રઘુવંશીના 11 મેના રોજ સોનમ સાથે લગ્ન થયા હતા. બંને હનીમૂન માટે શિલોંગ ગયા હતા, પરંતુ રાજાને ખબર નહોતી કે તેની પત્ની તેની હત્યાની યોજના ઘડી રહી છે. 29 વર્ષના રાજાની 23 મેના રોજ હત્યા કરવામાં આવી, અને તેનો મૃતદેહ 2 જૂને ખાડામાંથી મળી આવ્યો.
9 જૂને પોલીસે સોનમને ઉત્તર પ્રદેશના ગાઝીપુરના એક ઢાબા પરથી ઝડપી લીધી. આ કેસમાં સોનમ, તેનો પ્રેમી રાજ કુશવાહા અને ત્રણ સુપારી કિલર્સ આકાશ, વિશાલ અને આનંદ સામેલ છે. બધા આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. મેઘાલય પોલીસની એસઆઇટી આ કેસની તપાસ કરી રહી છે. આ કેસની તપાસ અલગ-અલગ દિશામાં ચાલી રહી છે. આશ્ચર્યજનક વાતતો એ છે કે લગ્નના થોડા દિવસોમાં જ સોનમે પતિ પ્રત્યે આટલી દુશ્મની થઈ ચુકી હતી. હાલ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ અને પૂરતા પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.
આપણ વાંચો : રાજાની હત્યા મામલે ભાઈ વિપિન રઘુવંશીએ સોનમ મામલે કર્યો મોટો ખુલાસો, જુઓ વીડિયો