આમચી મુંબઈ

પ્લેન ક્રેશ: પાયલટ સુમિત સભરવાલનો પાર્થિવ દેહ મુંબઈ લવાયો, અંતિમસંસ્કાર કરાશે

મુંબઈ: ગયા અઠવાડિયે અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનના પાયલટ કેપ્ટન સુમિત સભરવાલના પાર્થિવ દેહને આજે મુંબઈ લાવવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

સભરવાલના અવશેષો સાથેની શબપેટી સવારે ફ્લાઇટ દ્વારા મુંબઇ એરપોર્ટ પર પહોંચી હતી. તેમના પરિવારના સભ્યો શબપેટી પવઇ સ્થિત નિવાસસ્થાને લઈ જશે એવી જાણકારી એક અધિકારીએ આપી હતી.

લોકો શ્રદ્ધાંજલિ આપી શકે તેના માટે એક કલાક માટે સભરવાલના પાર્થિવ દેહને ઘરે રાખવામાં આવશે અને ત્યાર બાદ તેમના અંતિમસંસ્કાર ચકાલા સ્થિત ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. સુમિત સભરવાલ (56) મુંબઈમાં વયસ્ક માતા-પિતા સાથે રહેતા હતા.

આપણ વાંચો: એર ઈન્ડિયાના પ્લેન ક્રેશનું આ છે Turkey Connection, કોની હતી વિમાન મેઈન્ટેનન્સની જવાબદારી?

242 મુસાફર અને ક્રૂ મેમ્બર્સને લઇને લંડન જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-171 12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થઈ હતી. વિમાનમાં સવાર એક સિવાયના તમામ લોકો અને વિમાન તૂટી પડ્યું એ વિસ્તારના 29 જણ મૃત્યુ પામ્યા હતા.

આ દુર્ભાગ્યપૂર્ણ ઉડ્ડયન ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર સાથે કેપ્ટન સભરવાલના નેતૃત્વ હેઠળ હતું. ડીજીસીએએ અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સભરવાલને 8,200 કલાક અને કુંદરને 1,100 કલાકની ઉડાનનો અનુભવ હતો.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button