આહારથી આરોગ્ય સુધી : ક્રોમિયમ ખનિજ કેટલુ મહત્ત્વનું?

-ડૉ. હર્ષા છાડવા
શરીરના ખનિજ તત્ત્વ એ એવા પોષકતત્ત્વ છે જે શરીરના સમુચિત વિકાસ અને કામકાજ માટે આવશ્કય હોય છે. ઘણાં ખનિજ તત્ત્વ બહુ જ ઓછા પ્રમાણમાં આવશ્યક હોય છે. છતાં પણ તે શરીરને સામાન્ય રૂપથી વિકસિત કરવા સ્વસ્થ કામ કરવા માટે જરૂરી છે. એવું એક ખનિજ તત્ત્વ ક્રોમિયમ છે જે એક ટ્રેસ ખનિજ છે જેના વિષે વ્યક્તિઓ અજાણ છે. યોગ્ય તંત્રની કામગીરીમાં તે નાના પ્રમાણમાં શરીર દ્વારા જરૂરી ટ્રેસ ખનિજ છે.
ક્રોમિયમ કુદરતી રીતે હાજર હોય છે. ઓગણીસથી પચ્ચાસ વર્ષની વયે (પુરુષ) પાંત્રીસ માઈક્રોગ્રામ અને સ્ત્રીઓમાં પચ્ચીસ માઈક્રોગ્રામની જરૂર છે ક્રોમિયમ ઘણા ખાદ્ય પદાર્થોમાં મળે છે. પણ માત્રા ઓછી છે તેથી શરીરમાંનું ક્રોમિયમ સુરક્ષિત રહે તે જરૂરી છે.
ક્રોમિયમ એક ખનિજ જેનો આપણાં શરીરમાં સામાન્ય શારીરિક કાર્યો જેમ કે ભોજન પચાવવા, શરીરને રક્ત ખાંડના સ્તરને સંતુલિત કરવા, રક્તવાહિની તંદુરસ્તી માટે, રંગ સૂત્રોનું રક્ષણ માટે વજનનું વ્યવસ્થાપન જાળવવા, મગજના આરોગ્ય સુધારવા માટે જરૂરી છે.
જીભનો સ્વાદ બગડવો. શરીરની રક્ત ખાંડ (સુગર) સ્તર ન જળવાય તો ડાયાબિટીસ પણ નિયંત્રણ રહેતું નથી. ઈન્સ્યુલિનની ઓછપ વધતી જાય છે જેથી શરીર અન્ય નુકસાન ભોગવે છે. જેમ કે વજન વધી જવું અથવા ઘટી જવું. એનિમિયા પણ થાય છે.
આપણ વાંચો: દીપડાઓને ગમી ગયું કચ્છઃ રેસ્ક્યુ સેન્ટરમાં આવેલા તમામ 12 દીપડા સ્વસ્થ…
રક્તવાહિનીની તંદુરસ્તી બગડતા શરીરમાં દુખાવા થાય છે. વેરીકોન્ડવેન થવાનો સંભવ વધી જાય છે. ચાલવું મુશ્કેલ બને છે. આંખોની રક્તવાહિનીઓમાં સોજા આવી શકે. ગ્લુકોમાની શક્યતા વધી જાય. રંગ સૂત્રો પર અસર થતાં પ્રજનનમાં તકલીફ થાય, બાળક ખોડખાપણવાળું જન્મે છે. શરીરનો રંગ ફીકો પડી જાય. શરીર સુસ્ત રહે છે. જીભનો સ્વાદ બગડી જાય છે.
વજનનું વ્યવસ્થાપન ન જળવાય તો શરીર બેડોળ જેવું થાય છે. અમુક ભાગોમાં ચરબી વધી જાય છે. સાથળમાં ચરબી વધતાં સેન્ટ્રલ ઑફ ગ્રેવિટી હટી જાય છે અને કોઈ એક પગ પર ભાર આવતાં ત્યાં દુખાવો વધી જાય છે.
મગજનું સ્વાસ્થ્ય ખોરવાતા અલ્ઝાઇમર જેવી બીમારી થાય છે. સતત માથા પર ભાર લાગે છે. શરીરના ભાગો જેવા કે હાથ પગ પર ધ્રૂજારી થાય છે. કંપવાતનો જન્મ થાય છે.
આપણ વાંચો: જો બાઈડનને ગંભીર પ્રોસ્ટેટ કેન્સર, ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસે સ્વસ્થ થવાની કામના કરી…
ક્રોમિયમની ઓછપનાં બાહ્ય કારણોમાં ધ્રૂમ્રપાન કરવું અથવા જ્યાં ધ્રૂમ્રપાન (બીડી, સિગારેટના ધુમાડા) વધુ થતું હોય તેવા એરિયામાં રહેવું, દારૂનું સેવન કરવું, આલ્કોહોલયુક્ત પીણાં જેવાં કે હેલ્થ ડ્રિક, ડબ્બામાં મળતા જ્યુસ તેમજ આલ્કોહોલયુક્ત બનતી દવાઓ.
આલ્કોહોલયુક્ત ખાદ્યપદાર્થ જેમ કે આઈસક્રીમ, કેક, કુકીજીના સેવનથી ક્રોમિયમ ખનિજની ઓછપ થાય છે. આ કારણોને લીધે કેલ્શ્યિમની પણ ઓછપ થાય જેથી હાડકાંને નુકસાન થાય છે. વાળ અને નખ પર અસર થાય છે. કેલ્શ્યિમ દવાઓનું સેવન કરવાથી ક્રોમિયમનું અવશોષણ થતું નથી. કારણ એન્ટિસિડ જેવી દવાઓમાં કેલ્શ્યિમ કાર્બોનેટ હોય છે જે ઘાતક છે જેથી હાડકાઓની મુશ્કેલી વધી જાય છે.
પ્રાકૃતિક રીતે ક્રોમિયમ શરીરમાં મળવું જોઈએ. આની ઓછપ માટે ખોરાક પર ધ્યાન આપવું જરૂરી છે. અખાદ્ય પદાર્થોના સેવન કે કેફેનના સેવનના કારણે ખોરવાય છે. ઓછપને દૂર કરવા જો સપ્લીમેન્ટ લેવામાં આવે તો આના ઘણાં નુકસાન છે. પેટની સમસ્યાઓ વધે છે. રક્ત સુગર ઓછી થાય (હાઈપોગ્લાઈસેમિયા) થાય છે. લીવર, કિડની પર અસર થાય છે. હૃદયનો તાલ કે લય અનિયમિત થાય છે.
આપણ વાંચો: વિશેષ: સ્વસ્થ વિશ્વના નિર્માણમાં પશુચિકિત્સકોનો પણ મોટો ફાળો છે…
કેલ્શ્યિમ કાર્બોનેટના વપરાશથી બનતાં ખાદ્ય પદાર્થ પણ ક્રોમિયમ ખનિજનું અવશોષણ અટકાવે છે. જેમ કે હાફુસ કેરીને પકવવા આનો વપરાશ થાય છે. દવાઓમાં આનો વપરાશ થાય છે. જેથી પેટની બીમારીઓ થાય છે. અચાનક શરીરમાં કેલ્શ્યિમનું પ્રમાણ વધી જતાં પથરી થવાનો સંભવ રહે છે. હાર્ટબન થાય છે. શરીરમાં એસિડ વધતા એસિડિટી વધી જાય છે. કિડની પર માઠી અસર થાય છે. ખાતર બનાવવા માટે પણ કેલ્શ્યિમ કાર્બોનેટ ઉપયોગ થાય છે જે આપણું દુર્ભાગ્ય છે.
પ્રાકૃતિક રીતે આનું સંતુલન જાળવવા માટે આહારમાં બ્રોકલીનો વપરાશ કરવો. જેમાં બાવિસ માઈક્રોગ્રામ જેટલું ક્રોમિયમ મળી રહે છે. યીસ્ટનો ઉપયોગ કરવો જેમ કે ડ્રાય યીસ્ટ રોટલીના લોટમાં નાખી શકાય છે. મકાઈ, બીટ, સરગવાની સિંગ, વટાણા, કોબી, ફલાવર, બટાટા, ભીંડા, પાલક, અરવી, જુવાર, રાજમા, ફણગાવેલી મગફળી (શિંગ), નારિયેળના દૂધમાં, સફરજન, દાડમ, કાજુ વગેરેમાં ક્રોમિયમ મળી રહે છે.
કુદરતનો માનવજાતને એક યશસ્વી વારસો મળ્યો છે. બજારુ ભોજન, અખાદ્ય પદાર્થો, કારણ વગરના પીણાં, ચહા, કોફી, કોલ્ડડ્રિંક શરબતો (શરબત ડામરમાંથી બને છે), ટાઈમ વગરનું જમવું વગેરે બાબતોને કારણે શરીરની ધાતુઓ કે વિટામિન્સ ખોરવાય છે. પ્રાકૃતિક ખજાનો જાળવવાનો સમય છે નહીંતર લોકો બીમારીમાંથી નીકળી શકવાના નથી. દવાઓ જ ભોજન થઈ જશે. યુવા પેઢી જલદી બીમાર થઈ રહી છે. પ્રાકૃતિક સંશાધનો મળવા મુશ્કેલ થઈ જશે. તેની જાળવણી કરવી અતિ
જરૂરી છે.
પંજાબના આગમ ભારદ્વાજ જેનું સુગર લેવલ ત્રણસો જેટલું હતું. રિપોર્ટ અનુસાર તેમના કોલેસ્ટ્રોલ પણ વધેલા હતા. કેલ્શ્યિમ ઘટી ગયું હતું. ક્રોમિયમયુક્ત આહાર, કેલ્શ્યિમયુક્ત આહારના આયોજનથી તેમનું સુગર લેવલ દોઢ મહિના પછી એંસી પર આવી ગયું. હાથપગના દુખાવા મટી ગયા.
વ્યસન હતું તે છૂટી ગયું. શરીરમાં ધાતુની કમીના કારણે વ્યસન વધતું હતું. ખોરાકમાં ખનિજ તત્ત્વનો અભાવ પણ વ્યસન તરફ દોરે છે. ખાનપાન વ્યવસ્થિત થતાં જ શરીર કુદરતી રીતે કામ કરવાનું ચાલુ કરે છે. બીમારી પણ થતી નથી.