આમિર ખાન Turkey પર ભડક્યો, જાણો શું કહ્યું?

મુંબઈઃ આમિર ખાન હાલમાં તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ઇન્ટરવ્યૂમાં સુપરસ્ટારે પાકિસ્તાનના ભારત પર હુમલાને તુર્કીના સમર્થનની ટીકા કરી હતી. આમિર ખાને કહ્યું હતું કે તુર્કીના જે કંઈ કર્યું છે તે ખોટું છે. અભિનેતાએ તુર્કીયેના રાષ્ટ્રપતિ અને તેમની પત્ની સાથેના તેમના વાયરલ ફોટા વિશે પણ સ્પષ્ટતા કરી છે.
એક શોમાં આવ્યો ત્યારે આમિર ખાને કહ્યું, ‘તુર્કીએ ખૂબ જ ખોટું કામ કર્યું છે અને દરેક ભારતીયને આનાથી દુઃખ થયું છે. થોડા વર્ષો પહેલા તેમના દેશમાં ભૂકંપ આવ્યો હતો. તમને યાદ છે? જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમને સૌથી પહેલા કોણે મદદ કરી હતી? આપણે ભારતે તેમને સૌથી પહેલા મદદ કરી. આપણી સરકારે તેમને મદદ કરી.’ આમિર ખાને કહ્યું કે ‘તે સમયે આપણી સરકારને પણ ખબર નહોતી. જેમ મને ખબર નહોતી.’
આપણ વાંચો: શરૂઆતમાં ઊંચાઈને લઈને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સથી ચિંતિત રહેતોઃ આમિર ખાનનો ખુલાસો
આમિર ખાને આગળ કહ્યું, “જ્યારે હું એર્દોગનને મળવા ગયો, જેમ સરકારને ખબર નહોતી, તેમ મને પણ ખબર નહોતી કે 7 વર્ષ પછી તે આવું કરશે. તે આપણી સાથે દગો કરશે. આપણે મિત્રતાનો હાથ લંબાવ્યો.
તેમને મદદ કરી. તેમની મુશ્કેલીના સમયે તેમને મદદ કરી. આપણે મદદ કરવામાં સૌથી પહેલા હતા અને તેમણે આ જવાબ આપ્યો. તો આ ખોટું છે. મારો આ ફોટો તે સમયે લેવામાં આવ્યો હતો જ્યારે સરકાર પણ તેમને મદદ કરી રહી હતી.
આપણ વાંચો: શું ‘મહાભારત’ હશે આમિર ખાનની છેલ્લી ફિલ્મ? અભિનેતાએ આપ્યો મોટો સંકેત!
તુર્કીના ફર્સ્ટ લેડી એમીન એર્દોગન સાથેના વાયરલ ફોટા પર આમિર ખાને કહ્યું હતું કે “આ તો તેનાથી પણ જૂની વાત છે. એક સેલિબ્રિટી હોવાને કારણે, જ્યારે હું બીજા દેશમાં જાઉં છું, ત્યારે હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરું છું, તેથી જ્યારે કોઈ મને ચા પીવા આવવાનું આમંત્રણ આપે ત્યારે મને લાગે છે કે ના કહેવાનું યોગ્ય નથી.
અમારા જીવનમાં આવું ઘણી વખત બને છે. તુર્કીએ જે કંઈ કર્યું છે તે ખૂબ જ ખોટું છે અને તેનાથી દરેક ભારતીયને દુઃખ થયું છે. દેશમાં ઘણો ગુસ્સો છે કે અમે તમને મદદ કરી અને તમે? આપણે તુર્કીને બિલકુલ ટેકો ન આપવો જોઈએ. જ્યારે આપણા પર હુમલો થાય છે, ત્યારે તેઓ પાકિસ્તાનને મદદ કરે છે. આ ખોટું છે.