અમદાવાદ એરક્રેશ ઈફેક્ટઃ પેસેન્જર્સની પહેલી પસંદ બની 11A સીટ, જાણો ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી

અમદાવાદઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું તેમાં 11A ની સીટ ખૂબ જ ચર્ચાઈ રહી છે. કારણ કે, 11A પર બેઠેલો વ્યક્તિ વિમાન ક્રેશની દુર્ઘટનામાં બચી ગચો છે. મહત્વની વાત એ છે કે, વિમાનમાં 11A નંબરની સીટ ઈમરજન્સી એક્ઝિટની પાસે જ હોય છે. મૂળ વાત એ છે કે, અહીં વધારે ઘોઘાટ હોવાના કારણે આ સીટ કોઈ પસંદ કરતુ નથી. વિમાનમાં ઇમરજન્સી એક્ઝિટ લાઇન હંમેશા થોડી અસુવિધાજનક રહેતી હોય છે. જેથી આ બેઠક પસંદમાં નહોતું કરતું પરંતુ આ ઘટના બાદ લોકોને ધારણા બદલાઈ રહી છે.
પ્લેન ક્રેશની ઘટનામાં 11A સીટ બેઠેલો વ્યક્તિ બચી ગયો
અમદાવાદમાં થયેલા દુ:ખદ ફ્લાઇટ ક્રેશ પછી આ બેઠકની ધારણા બદલાઈ ગઈ છે. 240 થી વધુ લોકોના મોત નિપજેલી ફ્લાઇટમાં એકમાત્ર બચી ગયેલો વ્યક્તિ સીટ 11A પર બેઠો હતો, જે ઇમરજન્સી એક્ઝિટ લાઇન પર હતી. ટ્રાવેલ એજન્ટો કહે છે કે ફ્લાઇટ્સમાં લોકો બેઠક પસંદ કરતી વખતે વિચારતા હોય છે પરંતુ આમાં હવે બદલાવ આવી રહ્યો છે. આ બેઠકનો ભાવ પણ વધી શકે તેવો પણ અંદાજ છે.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: એર ઇન્ડિયા ફ્લાઇટ AI 171નું બીજું બ્લેક બોક્સ મળી આવ્યું…
પ્લેન દૂર્ઘટના બાદ આ બેઠક લોકોની પહેલી પસંદ બનશેઃ ટ્રાવેલ એજન્ટ
મહત્વની વાત એ છે કે, બેઠક પહેલા લોકોને નહોતી પસંદ તે બેઠકને હવે સુરક્ષા માટે પહેલી પસંદ કરવાના છે. આ બેઠક એવી છે કે, અહીં વધારે ઘોઘાટ હોય છે અને બેસવા માટે એટલી જગ્યા પણ હોતી નથી. પરંતુ ઈમરજન્સી હોય ત્યારે આ બેઠક ખૂબ જ જરૂરી છે. પ્લેન દૂર્ઘટના બાદ આ બેઠક લોકોની પહેલી પસંદ બનશે તેવું ટ્રાવેલ એજન્ટો કહી રહ્યાં છે. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ પણ અનેક વિમાનોએ ઉડાન ભરી છે, ઘણાં લોકોનું માનવું છે કે, વિમાન મુસાફરી સૌથી વધારે સુરક્ષિત છે. ખેર હવે જોવાનું એ રહેશે કે, આ 11એ નંબરની બેઠક માટે લોકોનો વિચાર કેવો રહે છે.