અમદાવાદ

એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટના બાદ આ ફિલ્મ મેકર લાપતા! માત્ર 700 મીટર દૂર હતું છેલ્લું લોકેશન…

અમદાવાદઃ અમદાવાદમાં ગુરૂવારે એર ઈન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બાદ એક ફિલ્મ મેકર લાપતા થયા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારનું કહેવું છે કે, તેઓ દુર્ઘટનામાં ઘટનાસ્થળ પર હાજર જે લોકોનું મોત થયું તેમાં હોઈ શકે છે. એટલા માટે પરિવારે ઓળખ માટે ડીએનએ સેમ્પલ પણ જમા કરાવ્યાં છે. પરિવારનું કહેવું છે કે તેમનું છેલ્લું લોકેશન ઘટનાસ્થળથી માત્ર 700 મીટર દૂર હતું. જેથી પરિવાર અત્યારે ચિંતત થઈ રહ્યો છે. આ દુર્ઘટનામાં 241 યાત્રીઓ અને 29 અન્ય લોકોનું મોત થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. શું આ આંકડામાં ફિલ્મ મેકર હશે?

ફિલ્મ મેકર મહેશ કલાવડિયા પ્લેન ક્રેશની ઘટના બાદ ગાયબ!
મળતી વિગતો પ્રમાણે લાપતા ફિલ્મ મેકરની ઓળખ મહેશ કલાવડિયા તરીકે થઈ છે. જેમને મહેશ જિરાવાળા નામે પણ ઓખળવામાં આવે છે. મહેશ કલાવડિયા નરોડાના રહેવાસી હતા અને મ્યુઝિક આલ્બમ બનાવતા હતા. તેની પત્ની હેતલે જણાવ્યું કે ગુરુવારે તે કોઈને મળવા લો ગાર્ડન વિસ્તારમાં ગયો હતો. અત્યારે પરિવારમાં ખૂબ જ ચિંતા વ્યાપેલી છે.

તે રસ્તા પરથી તેઓ ક્યારેય ઘરે આવ્યા નહોતા આવતાઃ પત્ની
પત્ની હેતલે જણાવ્યું કે, ‘મારા પતિ બપોરે 1:14 વાગ્યે ફોન પર કહ્યું હતું કે મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ઘરે આવું છું. પરંતુ જ્યારે ઘરે આવ્યાં નહીં ત્યારે અનેક વખત ફોન કર્યાં પરંતુ ફોન બંધ આવતો હતો. પોલીસને આ અંગે વાત કરી ત્યારે તેમના મોબાઈલનું છેલ્લું લોકેશન ક્રેશ સાઈટથી માત્ર 700 મીટર દૂર હતું’. વધુમાં કહ્યું કે, બપોરે લગભગ 1:40 વાગ્યે તેમના ફોનનું નેટવર્ક બંઘ આવવા લાગ્યું હતું. તેમનું સ્કૂટર અને મોબાઇલ ફોન બંને ગુમ છે. સૌથી વિચિત્ર વાત એ છે કે, જ્યાં તેમનું છેલ્લુ લોકેશન હતું, તે રસ્તા પરથી તેઓ ક્યારેય ઘરે આવ્યા નહોતા આવતા. અમે ડીએનએ નમૂનાઓ આપ્યા છે જેથી જાણવા મળે કે શું તેઓ અકસ્માતમાં જમીન પર મૃત્યુ પામેલા લોકોમાં સામેલ હતા’.

સિવિલ ખાતે 47 મૃતદેહની ઓખળ કરવામાં આવી
એર ઈન્ડિયા વિમાન ક્રેશની ઘટનામાં અનેક લોકોના મોત થયાં છે. આ સાથે અનેક લોકો ઘાયલ પણ થયા છે. અમદાવાદ સિવિલમાં ડીએનએ સેમ્પલ સાથે મૃતકોનો ઓળખ કરવામાં આવી શકે છે. આ સમગ્ર ઘટનામાં 270 ના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. સિવિલ ખાતે 47 મૃતદેહની ઓખળ કરવામાં આવી છે. જેમાંથી 24 મૃતદેહો પીડિત પરિવારોને સોંપવામાં આવ્યા છે. અત્યારે પણ સિવિલ ખાતે સતત ડૉક્ટરો મૃતદેહની ઓખળ કરવા માટે કાર્યકરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button