150 થી 200 લોકોની ભીડના કારણે પુલ ધરાશાયી થયો, આ વ્યક્તિએ જણાવી સમગ્ર હકીકત…

પુણેઃ ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા ઘરો ધરાશાયી અને પુણેમાં પુલ પડ્યો હોવાની ઘટના બની હતી. મહારાષ્ટ્રના પુણેમાં માવલ તહસીલના તલેગાંવ વિસ્તારમાં આવેલો એક પુલ (Pune bridge collapse) અચાનક પડી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે અહીં 150થી 200 લોકો આવ્યાં હતા, જેથી ભાર વધી ગયો અને પુલ ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટનાને જેણે પોતાના નજર સામે જોઈ તમે મીડિયા સાથે વાત કરીને હકીકત જણાવી છે.
પુલ પર 150-200 થી વધુ લોકો આવ્યાં હતાઃ નિખિલ
મીડિયા એજન્સી સાથે વાત કરતા નિખિલ કોલ્લમ નામના વ્યક્તિએ કહ્યું કે, ભગવાનનો આભાર કે મારો પરિવાર સુરક્ષિત છે. વધુમાં નિખિલે કહ્યું કે, ‘પુલ પર 150-200 થી વધુ લોકો હતા પરંતુ જે જગ્યાએ પુલ તૂટી પડ્યો ત્યાં 50 થી વધુ લોકો હતા. ભગવાન રામની કૃપા છે કે આપણે સુરક્ષિત છીએ.’ આ અકસ્માતમાંથી તેમના પરિવારના બચી જવા અંગે, તેમણે કહ્યું કે ‘આ અમારો પુનર્જન્મ છે.’ આ ઘટનામાં કુલ 4 લોકોનું મોત થયું છે, જ્યારે 50થી પણ વધારે લોકો ઘાયલ પણ થયાં છે.
પુલ ધરાશાયી થતા 51 લોકો ઘાયલ થયા છેઃ જિલ્લા કલેક્ટર
પુલ ધરાશાયી થવાની ઘટના કાલે રવિવારે બપોરે 3.15 વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ સત્વરે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને બાચવ કાર્ય શરૂ કરી દીધી હતું. મીડિયા સાથે વાત કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, કુલ 51 લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. જેમાંથી મોટા ભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 4 લોકોના મોત થયા છે, જેમાંથી ત્રણ લોકોની ઓળખ થઈ ગઈ છે. મૃતકોમાં ચંદ્રકાંત સાલ્વે, રોહિત માને અને વિહાનની ઓળખ થઈ છે. જ્યારે એક પુરૂષની ઓળખ થઈ શકી નથી. મોટાભાગના લોકોને બચાવી લેવામાં આવ્યાં છે જ્યારે બે લોકો હજી પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.
આપણ વાંચો : પુણે પુલ દુર્ઘટના મામલે પીએમ મોદીએ ફડણવીસને ફોન કર્યો! જાણો ખડગેએ શું કહ્યું?