મહારાષ્ટ્ર

પુણે પુલ દુર્ઘટના મામલે પીએમ મોદીએ ફડણવીસને ફોન કર્યો! જાણો ખડગેએ શું કહ્યું?

પુણે મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના પુણેમાં માવલ તહસીલ પાસે આવેલા કુંડમાલા ગામ પાસે આવેલા ઈન્દ્રાયણી નદી (Indrayani River) પર બનેલો પુલ પડી (Bridge Collapse) ગયો હોવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોનું મોત થયું હોવાની જાહેરાત થઈ છે. પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 5 લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

અત્યાર સુધીમાં 38 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યાં છે. આ સમગ્ર ઘટના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Minister Amit Shah) પણ શોક વ્યક્ત કર્યો છે.

આપણ વાંચો:ઈન્દ્રાયણી નદી પરનો પુલ કેવી રીતે તૂટ્યો, જાણો સ્થાનિકોએ શું કહ્યું…?

નરેન્દ્ર મોદી અને અમિત શાહે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે વિદેશ પ્રવાશે ગયેયા છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન (Maharashtra Chief Minister) દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સાથે ફોન પર વાત કરીને હતી. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનમાં કરવામાં આવેલી સહાય અને બચાવ કામગીરી વિશે જાણકારી આપી હતી.

પીએમ નરેન્દ્ર મોદી દેશમાં બનતી નાની મોટી દરેક ઘટનામાં પોતાની સંવેદના વ્યક્ત કરે છે. અમદાવાદમાં બનેવી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પણ પીએમ મોદી ઘટનાસ્થળ પર આવ્યા અને સમીક્ષા કરી અને ઘાયલો અને મૃતકોના પરિવારને મળ્યાં હતાં.

આપણ વાંચો: પુણેમાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી! અનેક લોકો ડૂબ્યા

અમિત શાહે એક્સ પર પોસ્ટ કરતા શું લખ્યું?

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ દુઃખદ ઘટના પર સંવેદના વ્યક્ત કરી હતી. એક્સ પોસ્ટ કરતા લખ્યું કે, પુણેના તાલેગાંવ ઇન્દ્રાયણી નદી પરનો પુલ પડ્યો તે ઘટનાથી દુઃખી છું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વાત કરીને જમીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

નજીકમાં તૈનાત NDRF ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, બચાવ કામગીરીમાં જોડાઈ અને ઘણા લોકોના જીવ બચાવ્યા છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું.

આપણ વાંચો: Video: મનાલીમાં 12 વર્ષની બાળકી ઝિપલાઇન પરથી નીચે પટકાઈ, રૂંવાડા ઊભા કરતો વીડિયો!

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ વ્યક્ત કરી સંવેદના

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પણ એક્સ પર પોસ્ટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સંવેદના વ્યક્ત કરતા લખ્યું કે, પીડિતોના પરિવારો સાથે મારી હૃદયપૂર્વકની સંવેદના છે અને નદીના પ્રવાહમાં તણાઈ ગયેલા પ્રવાસીઓના ઝડપી સ્વસ્થતા અને સુખાકારી માટે હું પ્રાર્થના કરું છું.

અસરગ્રસ્ત લોકોને શોધવા અને બચાવવા માટે દિવસ-રાત કામ કરી રહેલી બચાવ ટીમોના અથાક સમર્પણને હું સલામ કરું છું’. આ સાથે સાથે ખડગે રાજ્ય સરકાર પણ વાક પ્રહાર કર્યાં છે.

મહારાષ્ટ્રની સરકાર મલ્લિકાર્જુન ખડગે કર્યો આક્ષેપ

મહારાષ્ટ્ર સરકાર પર આક્ષેપ કરતા ખડગેએ લખ્યું કે, આવી અટકાવી શકાય તેવી આપત્તિઓ સત્તામાં રહેલા લોકોને પ્રશ્નો કરીને પૂછવાની માંગે છે. આ દુર્ઘટના માટે જવાબદાર તમામ વ્યક્તિઓને કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.

મહત્વની વાત એ છે કે, ભારે વરસાદની આગાહીના કારણે આગામી 31 ઓગસ્ટ સુધી અહીં આવવા પર પ્રતિબંધ હોવા છતાં, પ્રવાસીઓ કેવી રીતે પહોંચી ગયા? તેના કારણે સ્થાનિક તંત્ર પર સવાલ થવો અનિવાર્ય છે. આટલી મોટી બેદરકારી તંત્ર કેવી રીતે કરી શકે? હવે જોવાનું એ છે કે, મહારાષ્ટ્રની સરકાર આ ઘટના પાછળ કેવા પગલા ભરે છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button