ઉત્સવ

વિશેષ પ્લસ : માત્ર માનવ નહીં પશુ-પંખી પણ હોય છે સમજદાર!

  • કે. પી. સિંહ

ભગવાને ફક્ત માનવજાતિને જ બુદ્ધિ નથી આપી. પશુ-પંખીઓ પણ પોતાના વર્તનથી દેખાડે છે કે તેઓ પણ બુદ્ધિમત્તા રાખે છે. જાપાનનો એક પોપટ યૂસૂકી પાંજરામાંથી નીકળીને આઝાદ તો થયો, પરંતુ થોડા દિવસો બાદ તે પાછો માલિકના ઘરે આવી ગયો. તેને ઘરનું પૂરું સરનામું ખબર હતું.

આવી જ ચતુરાઈ કાંઈક ખિસકોલી કરે છે. આપણે જોઈએ છીએ કે તે માટીને ખોદીને ફરીથી એને ઢાંકી દે છે. ખરેખર તો તે જમીનની અંદર દાટેલા દાણાને પોતાની બુદ્ધિમતાથી ખાય છે. ઠીક એ રીતે વાંદરાઓ પણ ચપળ હોય છે. એવું માનવામાં આવે છે કે તેમનો શબ્દકોષ ઘણો સમૃદ્ધ હોય છે. ડિસ્કવરીએ પોતાની રિસર્ચમાં જણાવ્યું કે તેમની ભાષા આપણી ભાષા સાથે મળતી આવે છે. જોકે તેઓ પોતાના વિચારોને સારી રીતે વ્યક્ત નથી કરી શકતાં.

શું તમે સાંભળ્યું છે કે વ્હેલ માછલી સિન્ગિંગ કરે છે? તેઓ ખૂબ સરસ રીતે ગાય છે. દર વર્ષે નર વ્હેલ માછલી 30 મિનિટનું ગીત તૈયાર કરે છે. એની એક થીમ હોય છે. આ તેમની એક વાર્ષિક પ્રક્રિયા હોય છે. એનાથી વ્હેલ માછલીની રચનાત્મકતાની જાણ થાય છે.

ન્યુઝીલેન્ડમાં એક ડોલ્ફિન માછલીએ બે વ્હેલ માછલીને મદદ કરી હતી. આ બે વ્હેલ સમુદ્રના કિનારે આવી ગઈ હતી અને પાછી પાણીમાં જઈ શકવામાં અસમર્થ હતી. લોકોએ તેમને પાણીમાં પાછી મોકલવા માટે ખૂબ મહેનત કરી હતી, પરંતુ તેઓ સફળ થયા નહીં.

એ જ વખતે ડોલ્ફિન આવી અને વ્હેલ સાથે પોતાની ભાષામાં વાત કરી. ત્યારે તેઓ સલામત પાછી પાણીમાં જઈ શકી હતી.
આવો જ એક કિસ્સો છે કેસ્યુ નામના લેબ ડૉગનો જેને દેખાતું નથી અને સાંભળી પણ નથી શકતો. તેની બેસ્ટ ફ્રેન્ડ વિવી નામની એક બિલાડી છે. વિવી તેનું ખૂબ ધ્યાન રાખે છે. તેના માટે ભોજન લાવવાથી માંડીને તેની સાથે પડછાયાની જેમ સાથે રહે છે.

આપણ વાંચો:  વલો કચ્છ : પશુપંખીની સૌંદર્યમંડિત શિલ્પાકૃતિ

સાથે જ એક સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે નીલકંઠ એક બુદ્ધિમાન પંખી છે. તેનું દિમાગ વટાણાના આકારનું હોય છે. તેની ડોક પર નાના-નાના ધબ્બા હોય છે, જેને એ પોતે જ અરીસામાં જોઈ શકે છે.

નીલકંઠ અરીસામાં પોતાને જોઈને પોતાને ઓળખી લે છે. અરીસામાં પોતાને ઓળખવું એ બુદ્ધિમત્તાની નિશાની છે. નીલકંઠ અન્ય પંખીઓના માળામાં ઘૂસીને એને પોતાનું બનાવે છે.

કાગડો રંગે કાળો છે, પરંતુ તે પણ ચાલાક ઘણો છે. ભોજન ભેગું કરવા માટે એ અન્ય પંખીઓ સાથે મિત્રતા કેળવે છે અને લાગ જોઈને તે ભોજન છીનવી લે છે.

એથી કહી શકાય કે પક્ષીઓમાં પણ બુદ્ધિ હોય છે. જાનવરની સરખામણીએ પંખીઓ વધુ ચતુર હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button