અમદાવાદ

શું ટેકનિકલ તપાસની ખામીથી સર્જાય આટલી મોટી દુર્ઘટના?

અમદાવાદ: 12 જૂનના બનેલી ગોઝારી ઘટના ગુજરાત સહિત ભારતઆખાના મનમાં ઊંડો ઘા છોડી ગઈ છે. એક પ્લેન ક્રેશ આખા દેશના રૂવાડા ઊભા કરી દીધા. આ ઘટના બાદ લોકો તેને બનવા પાછળનું કારણ શોધવાનું શરૂ કર્યું. વિમાન દુર્ઘટનાએ ફ્લાઇટની ટેકનિકલ તપાસની પ્રક્રિયા પર ચર્ચા ઉભી કરી છે. આ ઘટના બાદ ટેકઓફ પહેલાંની તપાસની પ્રક્રિયા અને એરપોર્ટની સુવિધાઓ પર નિષ્ણાતો દ્વારા ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પટના એરપોર્ટના એક ઇજનેરે નામ ન જાહેર કરવાની શરતે આ દુર્ઘટના અંગે ત્રણ મહત્વના મુદ્દાઓ જણાવ્યા જે તપાસ વિષય છે. આ ઘટના વિમાનની સલામતી અને તકનીકી નિરીક્ષણની પ્રક્રિયા પર નવેસરથી વિચારવા મજબૂર કરે છે.

45 મિનિટમાં ફ્લાઈટનું ટેકનિકલ ચેકિંગ થાય છે
પટનાના ઈજનેરે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સામાન્ય રીતે એરપોર્ટ પર વિમાનનો ગ્રાઉન્ડિંગનો સમય લગભગ 45 મિનિટનો હોય છે. આ દરમિયાન વિમાનની ટેકનિકલ તપાસ પણ કરવામાં આવે છે. જેમાં ઈંધણ, લેન્ડિંગ ગિયર, કેબલ, ફ્લેપ અને વાઈપર જેવી વસ્તુની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ મોટી ખામી જણાય તો બેસ એરપોર્ટથી ઇજનેરોની ટીમ બોલાવવામાં આવે છે. દરેક એવિએશન કંપની પાસે ટેકનિશિયન, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇજનેરોની ટીમ હોય છે, જેમાં એક શિફ્ટમાં લગભગ 35 લોકો કામ કરે છે.

સમયપત્રક પ્રમાણે ઉડાન ભરે છે ફ્લાઈટ
તેમણે કહ્યું કે હવામાન અનુસાર, ઉનાળો અને શિયાળાનો સમયપત્રક જારી કરવામાં આવે છે. હાલમાં, ફ્લાઇટ્સ ઉનાળાના સમયપત્રક હેઠળ ચાલે છે. આ ઋતુમાં, હવા ગરમ હોય છે, જેના કારણે તેની ઘનતા ઓછી થાય છે. તે ઉપર તરફ વધવા લાગે છે. આ જ કારણ છે કે આ ઋતુમાં મુસાફરોની સંખ્યા અને કાર્ગોનું વજન ઓછું કરવામાં આવે છે જેથી વિમાન પર વધારાનો ભાર ન રહે. તે જ સમયે, જે ચિત્રો બહાર આવી રહ્યા છે તે જોઈને સ્પષ્ટ થાય છે કે અકસ્માતગ્રસ્ત વિમાનના ફ્લૅપ્સ ઉપર તરફ હતા. જે સામાન્ય રીતે લેન્ડિંગ સમયે આવું થાય છે.

આ ઉપરાંત, પ્લેનનું આગળનું વ્હીલ (ટાયર) પણ બહાર હતું, જે ટેકઓફ દરમિયાન જમીન છોડતાની સાથે જ અંદર જાય છે. એટલે જે સમયે પ્લેન ક્રેશ થયું તે સમય પહેલા પ્લેનના વ્હીલ અંદર હોવા જોઈતા હતા પણ તે બહાર હતા. આ કરાણથી તેઓ દાવો કરી રહ્યા છે કે વિમાનમાં ઉડાન પહેલા ટેકનિકલ તપાસ પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી. જોકે આ તમામ શક્યતાઓ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણેની છે. સરકારે સમિતિ ગઠિત કરી છે અને તેનો અહેવાલ આવે ત્યાં સુધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવું શક્ય નથી.

આપણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વીડિયો ઉતારનારા વિદ્યાર્થીએ કહ્યું- ક્યારેય પ્લેનમાં નહીં બેસું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button