“ચાર દિન કી જિંદગી…”: અકસ્માત પૂર્વે અંજૂ શર્માની લાસ્ટ પોસ્ટ વાયરલ

અમદાવાદ: એવું કહેવાય છે કે જે વ્યક્તિનું મૃત્યુ નજીક આવી રહ્યું હોય છે, એને કુદરત દ્વારા કેટલાક સંકેતો મળવા લાગે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પણ એક યાત્રી સાથે આવું જ થયું હોય એવું લાગી રહ્યું છે.
એઆઈ 171માં સવાર એક મહિલા યાત્રી અંજૂ શર્માએ દુર્ઘટનાની થોડી મિનિટો અગાઉ મૂકેલું સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચાનું કારણ બની છે. આવો જાણીએ તેમણે સ્ટેટસમાં શું લખ્યું હતું.
આપણ વાંચો: આવો છે ભારતનો પ્લેન ક્રેશ દુર્ઘટનાનો કાળો ઈતિહાસ…
દીકરીને મળવા જઈ રહ્યા હતા અંજુ શર્મા
હરિયાણાના કુરૂક્ષેત્રના રહેવાસી અંજુ શર્માના લગ્ન પટિયાલામાં થયા હતા. પરંતુ તેઓ પોતાના પતિ સાથે વડોદરામાં સ્થાયી થયા હતા. તેમની બે દીકરીઓ પૈકીની એક દીકરી લંડનમાં અને બીજી દીકરી વડોદરામાં રહે છે. ગુરૂવારે તેઓ પોતાની લંડન રહેતી દીકરીને ત્યાં જવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ વિમાનમાં બેસીને લંડન જવાના હતા.
આપણ વાંચો: રનવે 34′: અમદાવાદની ઘટનાએ યાદ અપાવી પ્લેન ક્રેશની રિયલ સ્ટોરી!
દુર્ઘટનાની થોડી મિનિટ પહેલા મૂક્યું હતું સ્ટેટસ
અંજૂ શર્માના એક સંબંધીના જણાવ્યાનુસાર સ્ટેટસ મૂકવાનું બહુ પસંદ હતું. તેમણે 1 વાગ્યને 6 મિનિટની આસપાસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે ચાર દિન કી જિંદગી સે અચ્છે હૈ, જિંદગી કે દો ચાર પલ.
અંજુ શર્મા જે વિમાનમાં બેઠા હતા તે ટેક-ઓફ થયાની થોડી મિનિટોમાં દુર્ઘટનાનો શિકાર બન્યું. અંજુ શર્માનું સ્ટેટસ જોઈને તેમના શોકમગ્ન સંબંધીઓ એવું માની રહ્યા છે કે, તેમને વિચાર્યું કે જાણે તેમને મોતનો અંદેશો આવી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે પોતાની દીકરીને મળવાની અંજુ શર્માની ઈચ્છા અધૂરી રહી ગઈ. તેમના એક સંબંધી સંજીવ કુમારે જણાવ્યું હતું કે, “અમારા પરિવારમાં તેઓ સોથી મોટા હતા. તે સૌનું ધ્યાન રાખતા હતા. ચોધાર આખે રડતા પરિવાજનોના આંસુ રોકાવાનું નામ લઈ રહ્યા નથી.”