અમદાવાદ

પ્લેન ક્રેશની એ પળ ભયાનક હતીઃ 1,000 ડિગ્રીનું તાપમાન, પશુ-પક્ષી બચ્યાં નહીં!

અમદાવાદ: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયાં છે. એટલું જ નહીં પરંતુ એર ઈન્ડિયાનું વિમાન જ્યા ક્રેશ થયું ત્યા તાપમાન એટલું વધી ગયું હતું કે, કોઈનું બચવું શક્ય જ નહોતું. મળતી જાણકારી પ્રમાણે આ વિમાનમાં 1.25 લાખ લીટર ઈંધણ હતું. જેના કારણે વિમાન ક્રેશ વખતે ભયાનક આગ ફાટી નીકળી હતી. દુર્ઘટના વખતે ઘટનાસ્થળનું તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. આ પ્લેનમાં કુલ 242 મુસાફર અને ક્રુ મેમ્બર હતા, જેમાંથી 241 પ્રવાસીનાં મોત થયા હતાં.

તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું!

એર ઈન્ડિયાનું આ વિમાન ટેક ઓફ થયાની થોડી જ ક્ષણોમાં અમદાવાદની બીજે મેડિકલ કોલેજની હોસ્ટિલ પર આવીને પડ્યું હતું. ઘટના બન્યા બાદ સત્વરે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે બચાવકાર્ય દરમિયાન ટીમને કોઈ વ્યક્તિ જીવતું નહોતું મળ્યું. એક અધિકારીના જમાવ્યા પ્રમાણે પ્લેન ક્રેશ થયું ત્યારે ઘટનાસ્થળે પર એટલો મોટો બ્લાસ્ટ થયો હતો કે તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જેના કારણે કોઈ બચી શકે તેમ નહોતું. આ ઘટનામાં કુલ 265 લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

પશુ-પક્ષીઓને બચવાનો સમય નહીં મળ્યો હોય

એક SDRF અધિકારીએ આ મામલે વિગતો આપતા જણાવ્યું કે, આ દુર્ઘટનામાં પશુઓ અને પક્ષીઓને પણ બચવાનો સમય મળ્યો નહોતો. ઘટનાસ્થળ પરથી અનેક અબોલ જીવો મૃત જોવા મળ્યાં હતા, જેમાં ખાસ કરીને શ્વાન અને પક્ષીઓના વધારે મોત થયાં છે. આમના મોત જણાવે છે કે, આ દુર્ઘટના કેટલી ભયાનક હશે? બ્લાસ્ટ વખતે કોઈને પણ બચીને ભાગવા માટે સમય નહીં મળ્યો હોય તેવું અધિકારીઓનું કહેવું છે.

આપણ વાંચોસિવિલ હોસ્પિટલ DNA ટેસ્ટ શરૂ: પ્લેન ક્રેશના મૃતકોના સંબંધીઓ માટે ખાસ વ્યવસ્થા

265 લોકોને મૃતદેહને હોસ્પિટલ ખાતે લઈ જવાયા

અત્યાર સુધીમાં મળતી જાણકારી પ્રમાણે કુલ 265 લોકોને મૃતદેહને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં છે. આમાં વિમાનમાં સવાર મુસાફરો, બિલ્ડિંગમાં રહેતા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને પરિસરમાં રહેતા લોકોના મોત થયાની પણ આશંકા છે. હજી પણ ઘટનાસ્થળ પર કામગીરી અને તપાસ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button