અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને અનુપમ ખેરે ભાવુક થઈ આપી શ્રદ્ધાંજલિ, જુઓ વીડિયો

મુંબઈઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ (Air India Plane crash) થયું તે મુદ્દે અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ દુર્ઘટના (Air India Dreamliner Accident) મામલે દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે (Actor Anupam Kher) શોક વ્યક્ત કરતા વીડિયો શેર કર્યો છે. શોકગ્રસ્ત પરિવારો માટે સહાનુભૂતિ આપતો અનુપમે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે આ ઘટના વિશે વાત કરી છે. આ ઘટનાને ભારતીય ઇતિહાસની સૌથી ખરાબ ઉડ્ડયન અકસ્માતોમાંની એક તરીકે વર્ણવવામાં આવી છે.
શોકગ્રસ્ત પરિવારો માટે સહાનુભૂતિ આપતો વીડિયો શેર કર્યો
આ વીડિયો પ્રમાણે વાત કરવામાં આવે તો, અનુપમ ખેરે કહ્યું કે, ‘અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના ફક્ત સમાચાર નથી. તે દુ:ખનો પહાડ છે જેણે ઘણા ઘરો તોડી નાખ્યા છે. તે વિમાન ફક્ત એક મશીન નહોતું. તે એક ગતિશીલ આશા હતી જેમાં આપણા પ્રિયજનો બેઠા હતા. કોઈ ભારતનું હતું, કોઈ વિદેશનું હતું. કોઈ કોઈની માતા હતી. કોઈ પોતાના દીકરા પાસે પરત ફરી રહ્યું હતું. કોઈ કામ પર જઈ રહ્યું હતું. કોઈ રજા પછી ઘરે જઈ રહ્યું હતું. પરંતુ કોઈને ખબર નહોતી કે આ યાત્રા તેમની છેલ્લી યાત્રા બની જશે.’
આ દેશ દરેક અસરગ્રસ્ત પરિવારને સલામ કરે છેઃ અનુપમ ખેર
આ દુર્ઘટના દેશ માટે ખૂબ જ ભયાનક છે. અનુપમ ખેરે કહ્યું કે, આજે આપણે બધા તેમની સાથે છીએ જેમણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે. વધુમાં કહ્યું કે, આજે ન તો ભાષા કામની છે, ન તો તર્ક. હું ફક્ત એક વાત કહેવા માંગુ છું. અમે તમારી સાથે છીએ. આખી માનવતા તમારી સાથે છે. અને આ દેશ દરેક અસરગ્રસ્ત પરિવારને સલામ કરે છે. ઓમ શાંતિ, નમન અને શ્રદ્ધાંજલિ.’ તેમણે જે શીર્ષક લખ્યું હતું તેના માટે, ‘અમદાવાદ વિમાન દુર્ઘટના – શ્રદ્ધાંજલિ! ઓમ શાંતિ.’
આપણ વાંચો: વિમાન દુર્ઘટનાએ મૂળ કચ્છના પરિવારનો ભોગ લીધો, ત્રણ એનઆરઆઈ કચ્છીમાડું હોમાયા
મુસાફરો સહિત કુલ 265 લોકોના મોત નીપજ્યા
એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું તેમાં મુસાફરો સહિત કુલ 265 લોકોના મોત નીપજ્યા છે. આ વિમાન ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ક્રેશ થયું, જેના કારણે શહેરમાં મોટી સંખ્યામાં આગ અને કટોકટી પ્રતિભાવ ટીમો તૈનાત કરવામાં આવી. દુર્ભાગ્યપૂર્ણ વિમાનમાં 230 મુસાફરો, 10 કેબિન ક્રૂ અને બે પાઇલટ સવાર હતા. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા હોવાનું જાણવા મળ્યું છે.