શુક્રવારે વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. દિલધડક આ મેચમાં બાબર આઝમની ટીમને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન સામે એક વિકેટથી રોમાંચક જીત નોંધાવી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પાકિસ્તાને 271 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેનો પીછો દક્ષિણ આફ્રિકાએ 47.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકાની આ જીતમાં કેશવ મહારાજનું મહત્વનું યોગદાન હતું.
એક સમયે દક્ષિણ આફ્રિકાને હારનો ખતરો હતો પરંતુ કેશવ મહારાજ અને તબરેશ શમ્સીએ હિંમત હારી નહીં. મહારાજે 21 બોલમાં સાત રન અને શમ્સીએ 6 બોલમાં ચાર રન બનાવ્યા હતા. બંને અણનમ પરત ફર્યા હતા. ભારતીય મૂળના કેશવ મહારાજે મોહમ્મદ નવાઝ સામે ચોગ્ગો ફટકારીને દક્ષિણ આફ્રિકાને જીત અપાવી હતી. કેશવ મહારાજે માત્ર 7 રનની ઇનિંગ રમી હતી પરંતુ મેચની દૃષ્ટિએ આ ઇનિંગ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. પાકિસ્તાનને હરાવ્યા બાદ મહારાજે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી વ્યક્ત કરી અને કંઈક લખ્યું જેના ચાહકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને તેમની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.
પાકિસ્તાનને હરાવ્યા બાદ સ્પિનર મહારાજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. મહારાજ બજરંગ બલીના ભક્ત છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાની અને પોતાના સાથી ખેલાડીઓની તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું હતું કે, “મને ભગવાન પર ભરોસો છે.” છોકરાઓએ કેટલો ખાસ વિજય મેળવ્યો.
શમ્સી અને એડન માર્કરામનું પ્રદર્શન જોવું ખૂબ જ સારું હતું. જય શ્રી હનુમાન.” પ્લેયર ઓફ ધ મેચ શમ્સીએ 10 ઓવરમાં 60 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે બાબર આઝમ (50), ઈફ્તિખાર અહેમદ (21), સઈદ શકીલ (52) અને શાહીન આફ્રિદી (2)ને આઉટ કર્યા હતા. મહારાજે 9 ઓવરમાં 56 રન આપ્યા હતા, પરંતુ તેમને કોઈ વિકેટ મળી ન હતી.
માર્કરામે 93 બોલમાં 91 રનની ઇનિંગ રમી હતી. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. માર્કરામે બે અડધી સદીની ભાગીદારી કરી હતી. તેણે રાસી વાન ડેર ડ્યુસેન (21) સાથે ત્રીજી વિકેટ માટે 54 અને ડેવિડ મિલર (29) સાથે પાંચમી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. દક્ષિણ આફ્રિકાની છ મેચોમાં આ પાંચમી જીત છે. સાઉથ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાં સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. બાબર બ્રિગેડ ચાર પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. પાકિસ્તાન સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે.
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો…
This renowned railway station has become a symbol of India's heritage, attracting tourists from across the country. Known for its architectural beauty and historical significance, it stands as a test