રાજકોટ

ગુજરાતના મેળાઓ પર સંકટ: એસોસિએશને સરકારની કડક SOP અને ફાઉન્ડેશનનો કર્યો વિરોધ…

રાજકોટ: રાજકોટની આગવી ઓળખ સમાન જન્માષ્ટમીનો મેળો ગયા વર્ષે પણ વિવાદમાં સંપડાયો હતો, ત્યારે આ વર્ષે પણ રાજકોટ જન્માષ્ટમીના લોકમેળા અને રાજ્યના પ્રાઇવેટ મેળા પર સંકટના વાદળો ઘેરાયા છે. ઓલ ગુજરાત મેળા એસોસિએશન દ્વારા આજે રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને સરકારની SOP અને ફાઉન્ડેશનના મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો રાજ્યના તમામ લોકમેળા અને પ્રાઇવેટ મેળા બંધ રાખવામાં આવશે.

રાજ્યમાં મેળાઓના આયોજન માટે કડક SOPને લઈને આજે રાજકોટમાં ગુજરાત મેળા એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં મેળા વેલફેર એસોસિએશને જણાવ્યું હતું કે સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવેલું ફાઉન્ડેશન કરાવવું મેળા સંચાલકો માટે શક્ય નથી અને તેનો ખર્ચ પણ પોસાય તેમ નથી. વધુમાં, સરકાર દ્વારા રાઇડ્સના બિલ માંગવામાં આવે છે, જે પણ શક્ય નથી કારણ કે રાઇડ્સ એસેમ્બલ (જોડવામાં આવેલી) હોય છે.

એસોસિએશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રાઇડ્સ ઓપરેટરનું લાયસન્સ પણ માંગવામાં આવે છે, જે વ્યવહારિક રીતે શક્ય જ નથી. હાલમાં ઓલ ગુજરાત મેળા એસોસિએશનમાં 400 સભ્યો છે અને તેઓ આ મુદ્દે એકજુટ છે. મેળા બાબતે સરકાર દ્વારા જે SOP બનાવવામાં આવી છે, તેને અને પબ્લિક સેફ્ટીને કંઈ લાગતું વળગતું નથી તેમ એક પ્રવક્તાએ જણાવ્યું હતું. સરકારે જે એસઓપી બનાવી છે, તેમાંથી 10 મુદ્દાઓ સામે મેળા એસોસિયેશને વાંધો ઉઠાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button