લોકલ ટ્રેન દુર્ઘટના અંગે શ્રીકાંત શિંદેની માંગણી
થાણેથી આગળ તાત્કાલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારો

મુંબઈઃ કલ્યાણ લોકસભાના સાંસદ સભ્ય શ્રીકાંત શિંદેએ સોમવારે સવારે થાણા જિલ્લાના દીવા અને કોપર સ્ટેશનો વચ્ચે ઉપનગરીય રેલવે દુર્ઘટનામાં ચાર મુસાફરોના મોત પર દુઃખ વ્યક્ત કરી ભીડને હળવી કરવા માટે થાણા પછીના નેટવર્કમાં તાત્કાલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવાની માંગ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં સોમવારે સવારે ઓફિસના ધસારાના કલાકો દરમિયાન ભીડભાડથી ભરેલી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી જીઆરપીના એક કોન્સ્ટેબલ સહિત ચાર મુસાફરોના મોત નીપજ્યાં હતાં અને છ ને ઇજા પહોંચી હતી. આ દુર્ઘટના દીવા અને કોપર રેલવે સ્ટેશનો વચ્ચે બની હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: Madhya Pradesh માં મોટી રેલવે દુર્ઘટના, બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, તમામ મુસાફરો સુરક્ષિત…
શિંદેએ એમ પણ જણાવ્યું હતું કે દીવાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી ફાસ્ટ લોકલ ટ્રેન સેવાઓ શરૂ કરવી જોઈએ તેમજ પાંચમી અને છઠ્ઠી લાઇનને સીએસએમટી સુધી તાત્કાલિક લંબાવવાના પ્રયાસો કરવા જોઈએ.
શિવસેનાના સંસદ સભ્યએ પક્ષના સાથી અને થાણાના સંસદ સભ્ય નરેશ મ્હસ્કે સાથે કળવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મુસાફરોની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે ‘મુમ્બ્રા સ્ટેશન નજીક એક તીવ્ર વળાંક છે.
આપણ વાંચો: મધ્ય રેલવે પર થયેલી દુર્ઘટના બાદ રેલવે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે લોકલ ટ્રેનમાં…
અપ (સીએસએમટી તરફ) અને ડાઉન (થાણા તરફ અને તેનાથી આગળ) પરની બે લોકલ ટ્રેન એક સાથે પસાર થઈ ત્યારે લટકતા કેટલાક મુસાફરો કાં તો પડી ગયા હતા અથવા તો કોચની અંદર કચડાઈ ગયા હતા.
કલ્યાણ-કર્જત જતી ટ્રેનોમાં ખૂબ ભીડ થાય છે.પેસેન્જર એસોસિએશનો લાંબા સમયથી આ માર્ગ પર વધુ ટ્રેન દોડાવવાની માંગ કરી રહ્યા છે. થાણે અને કલ્યાણ વચ્ચેની પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇનને નજીવી મદદ મળી છે, પરંતુ હવે આપણે ભીડને વધુ હળવી કરવા માટે આ લાઇનોને સીએસએમટી સુધી લંબાવવાની જરૂર છે. બાર કોચની ટ્રેનોને ક્રમશઃ અપગ્રેડ કરીને 15 કોચની કરવી જોઈએ. (પીટીઆઈ)