રાજાની હત્યા મામલે ભાઈ વિપિન રઘુવંશીએ સોનમ મામલે કર્યો મોટો ખુલાસો, જુઓ વીડિયો

ઇન્દોરઃ રાજા રઘુવંશી હત્યાકાંડમાં અત્યારે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે સોનમ સહિત અન્ય ત્રણ લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન રાજા રઘુવંશીના ભાઈ વિપિન રઘુવંશીનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. મીડિયા સાથે વાત કરતા વિપિન રઘુવંશીનું જણાવ્યું કે, રાજા અને સોનમ બન્ને લગ્નજીવનની ખૂબ જ ખૂશ હતી. તેઓ બન્ને પોતાની મરજીથી સાથે ફરવા માટે ગયાં હતા.
વિપિન રઘુવંશીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મેં રાત્રે 2 વાગ્યાની આસપાસ ગોવિંદ (સોનમનો ભાઈ) સાથે વાત કરી હતી. તેમણે મને જાણ કરી કે સોનમ ઉત્તર પ્રદેશમાં મળી આવી છે. અમે યુપી પોલીસનો સંપર્ક કર્યા પછી સોનમને પોલીસ લઈ આવી હતી. સોનમે કોઈ શરણાગતિ સ્વીકારી નતી. જ્યાં સુધી તે આ વાત કબૂલ ન કરે ત્યાં સુધી અમે સોનમને આરોપી માનતા નથી. બંને (રાજા અને સોનમ) તેમના લગ્નજીવનમાં ખુશ હતા. મેં બંનેને ક્યારેય લડતા જોયા નથી.
અમને ખબર નથી કે સોનમ ગાઝીપુર કેવી રીતે પહોંચી?: વિપિન રઘુવંશી
વધુમાં વિપિન રઘુવંશીએ કહ્યું કે, ‘પોલીસે મારા ભાઈનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સોંપ્યો નથી. મેઘાલયના મુખ્યમંત્રી કહેતા રહે છે કે પોલીસ આ કેસમાં 24 કામ કરી રહી છે, પરંતુ અમે એસપીને ફોન કરતા રહ્યા પણ ક્યારેય અમારો ફોન ઉપાડ્યો નહીં. અમને ખબર નથી કે સોનમ ગાઝીપુર કેવી રીતે પહોંચી? અમે ઇચ્છીએ છીએ કે મધ્યપ્રદેશ પોલીસ અને સીબીઆઈ આ કેસની તપાસ કરે. શિલોંગ પોલીસે અમારી સાથે વિગતો શેર કરી નથી. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જો સોનમ આ કેસમાં સંડોવાયેલી હોય, તો તેને સજા મળવી જોઈએ’.
સોનમ સાથે પોલીસ કરી રહી છે પૂછપરછ
ઘટનાની વાત કરવામાં આવે તો, રાજા અને સોનમ મેઘાલય ફરવા માટે ગયા હતા. ત્યારબાદ 2 જૂનના રોજ રાજા રઘુવંશીનો મૃતદેહ એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો હતો. આ સમગ્ર કેસમાં મેઘાલય પોલીસે તપાસ હાથ ધરી હતી. અત્યારે ચાર આરોપી અને એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સોનમ સાથે પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. આ કેસમાં હજી કોઈ ચોક્કસ હત્યારાનું નામ પ્રકાશમાં નથી આવ્યું પરંતુ પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચો….શું ફરી પત્ની જ નીકળી હત્યારણ? રાજા રઘુવંશી કેસમાં પત્ની સોનમ સહિત ચારની ધરપકડ