રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો વૈભવી બંગલો તૈયાર; નામ રાખ્યું કૃષ્ણા રાજ બંગલા, જુઓ વીડિયો

મુંબઈઃ બોલિવુડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી ચાહકોને ખૂબ જ પસંદ કરતા હોય છે. બંને હવે તેમના નવા ઘરમાં રહેવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે હવે તેમનું નવું ઘર તૈયાર થઈ ગયું છે. રણબીર અને આલિયા આ ઘર તૈયાર થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રણબીર-આલિયાના આ વૈભવી ઘરની પહેલી ઝલક પણ બહાર આવી છે. તેમના નવા ઘરનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
રણબીર કપૂરે પોતાના આ બંગલાનું નામ કૃષ્ણા રાજ બંગલો રાખ્યું છે, જે તેમના સ્વર્ગસ્થ દાદી કૃષ્ણા રાજ કપૂરના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ 4 માળના ઘરની સુંદરતા હમણાં જ જોવા મળી રહી છે. આ વૈભવી ઘરનો વીડિયો પાપારાઝી વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની વીડિયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બંગલાના સંપૂર્ણ રીતે તૈયાર થયેલા ભાગને દર્શાવવામાં આવ્યો છે, જેમાં દરેક બાલ્કનીમાં કુંડામાં હરિયાળી છે.
આ નવા બંગલાની કિંમત લગભગ 250 કરોડ
વાયરલ વીડિયો પ્રમાણે ઘરના ઉપરના માળે બગીચા જેવો વિસ્તાર દેખાય છે, જેના પર ઘણા બધા છોડ દેખાય છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે આ દંપતીએ ઘરના ટેરેસ એરિયા પર એક સુંદર બગીચો બનાવ્યો છે. હવે થોડા સમયમાં જ તેઓ આ ઘરમાં પ્રવેશ કરવા માટે તૈયારી કરી રહ્યાં છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના નવા બંગલાની કિંમત લગભગ 250 કરોડ છે. મુંબઈમાં અત્યારે આવા અનેક એવા ફિલ્મસ્ટાર્સ છે જે કરોડો રૂપિયાના વૈભવી બંગલામાં રહે છે.
આ બંગલો રણબીર અને આલિયા રાહા માટે બનાવ્યો
મુંબઈ સ્થિત આ મિલકત મૂળ રૂપે ફિલ્મ દિગ્ગજ રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરની હતી. 1980 ના દાયકામાં આ મિલકત ઋષિ અને નીતુ કપૂરને આપવામાં આવી હતી. રણબીર અને આલિયા હવે તે વારસાને આગળ લઈ જઈ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ હવેલી તેમની પુત્રી રાહા કપૂરના નામે રજીસ્ટર થવા જઈ રહી છે. આ દંપતીનું આ ઘર તેમની પુત્રી રાહાને સમર્પિત છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રણબીર ટૂંક સમયમાં આલિયા, પુત્રી રિયા અને માતા નીતુ કપૂર સાથે આ વૈભવી ઘરમાં શિફ્ટ થઈ શકે છે.
આ પણ વાંચો….ઓપરેશન સિંદૂર બાદ હવે આલિયા ભટ્ટે આપી પ્રતિક્રિયા: નેટિઝન્સ નારાજ