ધર્મતેજ

આચમન: ધર્મ વ્યક્તિથી પર હોઈ શકે?

-અનવર વલિયાણી

ધર્મતેજ પૂર્તિના વાચક બિરાદરો! તમે કોઈ પણ ધર્મનો અભ્યાસ કરો દરેક ધર્મ વ્યક્તિનો મદદગાર જ હોય છે.

  • ડર લાગે તો મદદ મેળવવા રામનું નામ લો,
  • ખુદાને યાદ કરો,
  • નવકાર મંત્ર ભણો
  • એ માનસિક મદદ જ મળી કહેવાય.
  • જીવનમાં ક્યું કાર્ય યોગ્ય, ક્યું અયોગ્ય?
  • ક્યું કાર્ય કરવાની છૂટ, શાની પાબંદી?
  • એ બધુ શીખવે ધર્મ.
  • એટલે જ ધર્મના નામ-સ્વરૂપ અલગ હોય
  • પરંતુ તાત્વિક રીતે બે ધર્મ વચ્ચે કોઈ ભેદ ન હોય…
  • અને છતાં જ્યારે આપણે ચારે તરફ ધર્મના નામે પક્ષાપશ્રી,
  • મતભેદ,
  • સંઘર્ષ,
  • લડાઈ, ટંટા, ફસાદ, રમખાણ, યુદ્ધ જોઈએ છીએ ત્યારે આપણને આશ્ર્ચર્ય થાય છે કે આ ધર્મ હશે?
  • ના-એ ધર્મ નથી.
  • ધર્મ તો સમાધાનકારી છે,
  • શમનકર્તા છે.
  • ઈશ્ર્વરને પ્રાર્થના હોય કે
  • ખુદાની બંદગી…!
  • માનસિક શાંતિ મુખ્ય છે અને એ ધર્મ છે
  • એટલે જ જેઓ સાચા જ્ઞાનીઓ છે તેઓ ધર્મના નામે વિવાદ કરવાની પાબંદી ફરમાવે છે.
  • પરંતુ માણસને અવકપાંસળીઓ અમસ્તો નથી કહેવાતો.
  • એ કુદરતી નિયમો અને ન્યાયની વિરુદ્ધ જ્યારે વર્તન કરે છે ત્યારે
  • હાહાકાર સર્જાય છે,
  • ખાનાખરાબી થાય છે,
  • જાનહાનિ થાય છે,
  • તબાહી વરસે છે…
  • આ બધું જ શેતાની વૃત્તિનું પરિણામ છે.

દરિયાના મોતી:

  • સુઘરી સરસ માળો બાંધે છે એ સાચું પણ એની ડિઝાઈનમાં ક્યારેય ફેરફાર થયો નથી.
  • મધમાખી મધ ભેગું કરે છે, પણ એની રસમ તથા પ્રક્રિયામાં ક્યારેય ફેરફાર થયો નથી.
  • બિલાડી કે કૂતરાને ગમે તેટલી તાલીમ અપાય, પરંતુ એ નિયત સીમા બહારની તાલીમ પામી જ ન શકે.
  • જ્યારે માનવીનું એવું નથી.
  • ગુફા અને જાનવરની ખાલથી દેહનું રક્ષણ

કરતાં કરતાં માણસ આજે સ્પેસયાનમાં મહિનાઓ ગાળતો
થયો છે.

  • ધરતી તો ધરતી અવકાશમાં પણ વનસ્પતિ ઉગાડવાનો પ્રયત્ન કરે છે.
  • કૂતરા-બિલાડાને પ્રાદેશિક સીમા,
  • ભાષાનું બંધન,
  • જીવનના સ્વરચિત કાનૂનોનું પાલન કરવાનું હોતું નથી.
  • માણસને આ બધું કરવાનું હોય છે.
  • કારણ બીજા તમામ જીવો કરતાં માણસ પાસે એક ખાસ ચીજ છે અને તે બુદ્ધિ.
  • આ બુદ્ધિએ સર્જેલા
  • આદર્શો, ધ્યેયો,
  • શોધેલાં સત્યો, સિદ્ધાંતો,
  • ઘડેલા નિયમો કાનૂનો,
  • રચેલી સંગિતા, ન્યાયવિધિ
  • વ્યક્ત કરેલા વિચારો, તત્ત્વો
  • એ તમામને એક એવું નામ આપ્યું જેને સૌ સમજી શકે અને આ નામ એટલે
  • ધર્મ

પ્રેરણાસ્ત્રોત:
જ્યારે મહાન શક્તિઓનો દુરુપયોગ કરવામાં આવે છે, ત્યારે વિશ્ર્વમાં અશાંતિ ફેલાવવી સ્વાભાવિક જ છે.

આ પણ વાંચો….આચમન : મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આદર્શ પુત્ર-આદર્શ પતિ ને આદર્શ રાજવી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button