ધર્મતેજ
આચમન: ધર્મ વ્યક્તિથી પર હોઈ શકે?

-અનવર વલિયાણી
ધર્મતેજ પૂર્તિના વાચક બિરાદરો! તમે કોઈ પણ ધર્મનો અભ્યાસ કરો દરેક ધર્મ વ્યક્તિનો મદદગાર જ હોય છે.
- ડર લાગે તો મદદ મેળવવા રામનું નામ લો,
- ખુદાને યાદ કરો,
- નવકાર મંત્ર ભણો
- એ માનસિક મદદ જ મળી કહેવાય.
- જીવનમાં ક્યું કાર્ય યોગ્ય, ક્યું અયોગ્ય?
- ક્યું કાર્ય કરવાની છૂટ, શાની પાબંદી?
- એ બધુ શીખવે ધર્મ.
- એટલે જ ધર્મના નામ-સ્વરૂપ અલગ હોય
- પરંતુ તાત્વિક રીતે બે ધર્મ વચ્ચે કોઈ ભેદ ન હોય…
- અને છતાં જ્યારે આપણે ચારે તરફ ધર્મના નામે પક્ષાપશ્રી,
- મતભેદ,
- સંઘર્ષ,
- લડાઈ, ટંટા, ફસાદ, રમખાણ, યુદ્ધ જોઈએ છીએ ત્યારે આપણને આશ્ર્ચર્ય થાય છે કે આ ધર્મ હશે?
- ના-એ ધર્મ નથી.
- ધર્મ તો સમાધાનકારી છે,
- શમનકર્તા છે.
- ઈશ્ર્વરને પ્રાર્થના હોય કે
- ખુદાની બંદગી…!
- માનસિક શાંતિ મુખ્ય છે અને એ ધર્મ છે
- એટલે જ જેઓ સાચા જ્ઞાનીઓ છે તેઓ ધર્મના નામે વિવાદ કરવાની પાબંદી ફરમાવે છે.
- પરંતુ માણસને અવકપાંસળીઓ અમસ્તો નથી કહેવાતો.
- એ કુદરતી નિયમો અને ન્યાયની વિરુદ્ધ જ્યારે વર્તન કરે છે ત્યારે
- હાહાકાર સર્જાય છે,
- ખાનાખરાબી થાય છે,
- જાનહાનિ થાય છે,
- તબાહી વરસે છે…
- આ બધું જ શેતાની વૃત્તિનું પરિણામ છે.
દરિયાના મોતી:
- સુઘરી સરસ માળો બાંધે છે એ સાચું પણ એની ડિઝાઈનમાં ક્યારેય ફેરફાર થયો નથી.
- મધમાખી મધ ભેગું કરે છે, પણ એની રસમ તથા પ્રક્રિયામાં ક્યારેય ફેરફાર થયો નથી.
- બિલાડી કે કૂતરાને ગમે તેટલી તાલીમ અપાય, પરંતુ એ નિયત સીમા બહારની તાલીમ પામી જ ન શકે.
- જ્યારે માનવીનું એવું નથી.
- ગુફા અને જાનવરની ખાલથી દેહનું રક્ષણ
કરતાં કરતાં માણસ આજે સ્પેસયાનમાં મહિનાઓ ગાળતો
થયો છે.
- ધરતી તો ધરતી અવકાશમાં પણ વનસ્પતિ ઉગાડવાનો પ્રયત્ન કરે છે.
- કૂતરા-બિલાડાને પ્રાદેશિક સીમા,
- ભાષાનું બંધન,
- જીવનના સ્વરચિત કાનૂનોનું પાલન કરવાનું હોતું નથી.
- માણસને આ બધું કરવાનું હોય છે.
- કારણ બીજા તમામ જીવો કરતાં માણસ પાસે એક ખાસ ચીજ છે અને તે બુદ્ધિ.
- આ બુદ્ધિએ સર્જેલા
- આદર્શો, ધ્યેયો,
- શોધેલાં સત્યો, સિદ્ધાંતો,
- ઘડેલા નિયમો કાનૂનો,
- રચેલી સંગિતા, ન્યાયવિધિ
- વ્યક્ત કરેલા વિચારો, તત્ત્વો
- એ તમામને એક એવું નામ આપ્યું જેને સૌ સમજી શકે અને આ નામ એટલે
- ધર્મ
પ્રેરણાસ્ત્રોત:
જ્યારે મહાન શક્તિઓનો દુરુપયોગ કરવામાં આવે છે, ત્યારે વિશ્ર્વમાં અશાંતિ ફેલાવવી સ્વાભાવિક જ છે.
આ પણ વાંચો….આચમન : મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આદર્શ પુત્ર-આદર્શ પતિ ને આદર્શ રાજવી…