સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ત્રણ યુવાનોનો ભોગ લીધો, પરિવારમાં શોકનો માહોલ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર આવેલા દુધરેજ નજીક IOC પેટ્રોલ પંપ પાસે ગઈકાલે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બેફામ રીતે આવેલા ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવાનોમાં 17 વર્ષીય દિવ્યાંશ અશોકભાઈ ઠાકોર (રહે. ફિરદોસ સોસાયટી), ઇમરાન રમઝાનભાઈ મોવર (રહે. ફિરદોસ સોસાયટી), અને 22 વર્ષીય અફઝલ યુનુસભાઈ ખોખર (રહે. ટાવર નજીક)નો સમાવેશ થાય છે. આ ત્રણેય મિત્રો દુધરેજ નજીક કટુડા જઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાવહ હતી કે ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા.

આપણ વાંચો:  શોકિંગ, ગુજરાતમાં વધુ એક આપઘાતઃ સુરતમાં 23 વર્ષની યુવતીએ ભર્યું અંતિમ પગલું

અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, અકસ્માત સર્જીને ફરાર થયેલા ટ્રક ચાલકને પણ પોલીસે ઝડપી પાડી એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button