નાગાર્જુનના પુત્ર અખિલના લગ્ન થયા, જાણો શોભિતા ધુલિપાલાની દેરાણી કોણ છે?

ટોલીવુડના પીઢ અભિનેતા નાગાર્જુનના નાના પુત્ર અને અભિનેતા અખિલ અક્કીનેનીએ શુક્રવારે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ઝૈનબ રાવદજી સાથે લગ્ન કરી લીધા. હૈદરાબાદમાં આયોજિત લગ્ન સમારોહ અત્યંત ખાનગી રાખ્યો હતો, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. નવદંપતીએ હજુ સુધી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લગ્નની કોઈ સત્તાવાર તસવીરો શેર કરી નથી, પરંતુ ફંક્શનની ઘણી તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ તસવીરોમાં અખિલ અને ઝૈનબ પરંપરાગત તેલુગુ લગ્નના પોશાકમાં જોઈ શકાય છે.
અખિલે ખાસ પ્રસંગે સફેદ કુર્તો અને પરંપરાગત ધોતી પહેરી હતી, જ્યારે દુલ્હન ઝૈનબે સફેદ અને સોનેરી સિલ્ક સાડી પહેરી હતી. તેણે હીરાના સુંદર આભૂષણો પહેર્યા હતા. બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ અને ઉત્સાહી દેખાતા હતા.
આ ખાસ પ્રસંગે ફિલ્મ ઉદ્યોગની ઘણી પ્રખ્યાત હસ્તીઓ હાજર રહી હતી. પ્રશાંત નીલ, રામ ચરણ, ચિરંજીવી, નાગા ચૈતન્ય અને તેમની પત્ની શોભિતા ધુલિપાલાએ પણ સમારોહમાં હાજરી આપી હતી અને નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી. આ આખો કાર્યક્રમ ખૂબ સાદગીથી કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Viral Video: મંદિરમાં નાગાર્જુને નવી નવેલી વહુ શોભિતા ધૂલીપાલા સાથે કર્યું કંઈક એવું કે…
અખિલ અને ઝૈનબની ગયા વર્ષે સગાઈ થઈ હતી. તે દરમિયાન અખિલે ઇન્સ્ટાગ્રામ પર સગાઈના ફોટા શેર કર્યા હતા અને લખ્યું હતું કે, ‘મને મારું હંમેશાં માટે મળી ગયું. એવું કહેવાય છે કે સગાઈ પહેલા આ કપલ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. હવે જ્યારે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે ત્યારે તેમના ચાહકો તેમના લગ્નનો પહેલો સત્તાવાર ફોટો ક્યારે સોશિયલ મીડિયા પર શેર કરશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે ઘણા ચાહકો તેમના વાયરલ ફોટા શેર કરીને તેમને અભિનંદન આપી રહ્યા છે.
નાગાર્જુને પોતે સોશિયલ મીડિયા પર પોતાના નાના દીકરાની સગાઈની જાહેરાત કરી હતી, ત્યાર બાદ અખિલ અક્કીનેની અને ઝૈનબ વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. હવે લગ્ન પછી લોકો ફરી અખિલની દુલ્હન વિશે જાણવા આતુર છે. લોકો જાણવા માંગે છે કે ઝૈનબ કોણ છે અને તે શું કરે છે. તો ચાલો તમને અક્કીનેની પરિવારના નવા સભ્ય એટલે કે ઝૈનબ રવાદજી વિશે જણાવીએ.
ઝૈનબ રવાદજી જાણીતા ઉદ્યોગપતિ ઝુલ્ફી રાવદજીની પુત્રી છે. તે બાંધકામ ઉદ્યોગમાં પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરી રહી હોવાનું કહેવાય છે. ઝૈનબના ભાઈ ઝૈન રાવદજી ઝેડઆર રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. મૂળ હૈદરાબાદની ઝૈનબ રાવદજીએ પોતાનું જીવન ભારત, દુબઈ અને લંડનમાં વિતાવ્યું છે. ઝૈનબ હાલમાં મુંબઈમાં રહે છે.