દુરાચારના આક્ષેપોથી ઘેરાયેલા જૈન સાધુ સાગરચન્દ્રસાગર અને બે સાધ્વી સામે આખરે પોલીસ ફરિયાદ
એફઆઈઆરમાં બીજા પાંચ સાધુઓનો પણ ઉલ્લેખ. આ સાથે આઠ સાધુ-સાધ્વી સામે સાગમટે ફરિયાદની પહેલી ઘટના

બિમલ મહેશ્વરી
મુંબઈ: દુરાચારના ગંભીર આક્ષેપોથી ઘેરાયેલા જૈન સાધુ સાગરચન્દ્રસાગર સામે રાજસ્થાનના જોધપુર શહેરમાં પોલીસ ફરિયાદ થઈ છે. એફઆઈઆરમાં સાગરચન્દ્રસાગર સાથે વોટ્સઍપ કોલ પર અશ્લિલ હરકતો કરનાર બે સાધ્વીઓને પણ આરોપી બનાવવામાં આવી છે. આ બન્ને સાધ્વીઓના નામ પોલીસે જાહેર કર્યા નથી.
સાગરચન્દ્રસાગર અને તેમના જ સંઘાડાની આ બે સાધ્વીઓ સામે પોલીસ ફરિયાદ કરનાર જોધપુરની સંસ્થા જિનશાસન રક્ષાર્થ સમિતિના અધ્યક્ષ કલ્પેશ સિંઘવીએ ‘મુંબઈ સમાચાર’ને કહ્યું હતું કે આ ત્રણ આરોપી સિવાય મેં ફરિયાદમાં બીજા પાંચ જૈન સાધુઓને પણ આરોપી બનાવ્યા છે. આઠ જૈન સાધુ-સાધ્વી સાથે સાગમટે ફરિયાદ થઈ હોય એવી કદાચ આ પહેલી ઘટના છે.
આ પણ વાંચો: જૈન સાધુ સાગરચન્દ્રસાગરનો મામલો પહોંચ્યો અદાલતમાં
જોધપુર પોલીસે આ તમામ સાધુઓ સામે ધાર્મિક લાગણી દુભાવવા સહિતના ગુના દાખલ કર્યા છે. એ સિવાય ફરિયાદી કલ્પેશ સિંઘવીને મોતની ધમકી આપનાર અન્ય પાંચ વ્યક્તિઓને પણ આરોપી બનાવાઈ છે. ટૂંકમાં આ એફઆઈઆરમાં સાગરચંદ્રસાગર સહિત કુલ છ જૈન સાધુ, બે જૈન સાધ્વી અને પાંચ વ્યક્તિઓને આરોપી બનાવાઈ છે. જે પાંચ જૈન સાધુઓને આરોપી બનાવાયા છે એમા વિરાગસાગર, કલ્યાણસાગર, રાજતિલકસાગર, હાર્દિકરત્નસાગર અને મંગલરત્નસાગરનો સમાવેશ છે. વિરાગસાગર પર ફરિયાદી કલ્પેશ સિંઘવીને બદનામ કરવાનો આરોપ છે જ્યારે બીજા ચાર સાધુ ભૂતકાળમાં દૂરાચાર આચરવાનો આરોપ છે.
સાગરચન્દ્રસાગરના બે સાધ્વીઓ સાથેના આ અશ્લિલ ફોટા થોડા મહિના પહેલા વાઈરલ થયા હતા અને એ વિશે રિપોર્ટ પ્રકાશિત કરનાર મુંબઈ સમાચારે પ્રથમ અખબાર હતું. આ ફોટામાં સાગરચન્દ્રસાગર આ બે સાધ્વી સાથે વોટ્સઍપ કોલ પર અશ્લિલ હરકતોના સ્ક્રિન શોટ્સ છે. ફોટામાં સાગરચન્દ્રસાગર એક શ્રાવિકા સાથે પણ અશ્લિલ હરકતો કરતા દેખાય છે. આ બધા સ્ક્રિનશોટ્સ સાગરચન્દ્રસાગરના મોબાઈલમાંથી તનુશ્રી (આ સાચું નામ નથી) નામની મહિલાએ આ ફોટા ચોર્યા હતા અને પછી એ લીક થઈ ગયા હતા.
આ પણ વાંચો: ભૂલ થઈ ગઈ હોવાનું ખુદ જૈનાચાર્યે જ કબૂલેલું
સાગરચન્દ્રસાગર અત્યારે ગુજરાતમાં છાણી ગામમાં હોવાનું કહેવાય છે. તેમનો ફોન પર સંપર્ક થઈ શક્યો નહોતો અને તેમણે મેસેજનો જવાબ પણ આપ્યો નહોતો.
આ કેસના તપાસ અધિકારી જોધપુરના આસિસ્ટંટ પોલીસ કમિશનર (પ્રતાપનગર) રવીન્દ્ર બોથરાએ કહ્યું હતું કે આ કેસમાં જરૂરી તમામ પુરાવા પહેલા ભેગા કરાશે અને તેને ફોરેન્સિક જાંચ માટે મોકલાશે. આરોપીઓના નિવેદન પણ યોગ્ય સમયે લેવાશે. કેસમાં કાયદાકીય રીતે જે જરૂરી હશે એ તમામ પગલા લેવાશે.
કલ્પેશ સિંઘવીએ ફરિયાદમાં કહ્યું છે કે મને મોતની ધમકી આપવા ઉપરાંત મોઢું બંધ રાખવા માટે પાંચ કરોડની ઓફર પણ આપવામાં આવેલી. આ ઓફર સુરતના મૈથિલ નામાના રહેવાસીએ આપેલી. મૈથિલ ભૂતકાળમાં સાગરચન્દ્રસાગરનો શિષ્ય હતો અને થોડા વખત બાદ સંસારમાં પાછો આવી ગયો હતો.
આ પણ વાંચો: દુષ્કર્મના આરોપી જૈન મુનિને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી, પીડિતાને 8 વર્ષે મળ્યો ન્યાય
દરમિયાન શુક્રવારે અમદાવાદની કોર્ટે સાગરચન્દ્રસાગર સામે થયેલા ખાનગી કેસની સુનાવણી હવે પહેલી ઓગસ્ટના રાખી છે. આ કેસમાં પણ અરજદાર જગતભાઈ પરિખે સાગરચન્દ્રસાગર સામે પોલીસ તપાસ શરૂ કરવાની માગણી કરી છે.
આ પ્રકરણમાં બીજા પાંચ આરોપી સાધુ કોણ છે…
વિરાગસાગર:
ફરિયાદીનો આરોપ છે કે વિરાગસાગર મહારાજે ખોટા ચોપાનિયા બહાર પાડી મારી બદનામી કરી છે.
કલ્યાણસાગર અને રાજતિલક સાગરઃ
આ બન્ને સાધુ સામે દુરાચારનો આરોપ છે. બન્ને સાધુઓએ થોડા વર્ષ પહેલા સાબરકાંઠા જિલ્લામાં ઈડરના પાવાપુરી જૈન તીર્થમાં દુરાચાર આચરવાનો આરોપ છે. તેમની ત્યારે ધરપકડ પણ થયેલી. આ દુરાચાર પ્રકરણનો વિડિયો અને એક ઓડિયો ક્લિપ વાઈરલ થયેલી.
હાર્દિકરત્નસાગરઃ
રાજસ્થાનના જાલોર શહેરમાં ૨૦૨૩માં નંદિશ્વરદીપ તીર્થમાં ચાતુર્માસ દરમિયાન દુરાચાર આચરવાનો આરોપ છે. તેમની સામે સ્થાનિક પોલીસે એફઆઈઆર પણ નોંધેલી. સાધુ અને અજ્ઞાત મહિલા બંધ રૂમમાં એકલા હોય એનો વિડિયો વાઈરલ થયેલો.
મંગલરત્નસાગર:
આશરે એકાદ વર્ષ પહેલા જોધપુરના એક જૈન તીરથમાં બાળકો સાથે દુરાચાર આચરવા બદલ લોકોએ આ સાધુની ધોલધપાટ પણ કરેલી અને એનો વિડિયો પણ વાઈરલ થયેલો.
વેસૂમાં સાગરચન્દ્રસાગરનું ચોમાસુ રદ કરવાની માગણી
સાગરચંદ્રસાગરનું ચાતુર્માસ આ વખતે સુરતના સુપરત કરાશે. ઉપનગર વેસૂમાં છે. તેમનું આ ચાતુર્માસ ૨૬ થાય એ માટે સુરતના જૈન અગ્રણીઓએ સહિ ઝુંબેશ શરૂ કરી છે.
લોકોની સહિ સાથેનો આ પત્ર સાગર સમુદાયના ગચ્છાધિપતિ નરદેવસાગર મહારાજને સુપરત કરાશે.
પત્રમા ગચ્છાધિપતિને એવી વિનંતી કરાઈ છે કે સાગરચન્દ્રસાગર સામે દુરાચારના જે આક્ષેપો થયા છે એને કારણે જૈન શાસનની હિલના થઈ છે અને તેથી તેમનું ચાતુર્માસ વેસૂ કે અન્ય જૈન તીર્થમાં ન યોજાય એવી વિનંતી છે.