રાજકોટસુરેન્દ્રનગર

ગુજરાતમાં બે અકસ્માતમાં ચાર લોકોના મોત, સુરેન્દ્રનગર હાઇવે પર ત્રણ અને રાજકોટમાં એકનું મોત

અમદાવાદ : ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધનુ મોત થયું છે. જેમાં સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જોકે, આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી

આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી ત્રણેયના મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મળતી માહિતી મુજબ ટ્રક ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો છે અને તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે. તેમજ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચાર્જીંગવાળી વાનમાં લાગેલી આગ બે માળના મકાન સુધી પહોંચી, જીવ બચાવવા લોકોએ છલાંગ લગાવી…

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના એકનું મોત

આ ઉપરાંત અન્ય એક અકસ્માતમાં રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામા એક વ્યક્તિનો ભોગ લીધો છે. રાજકોટમાં લીમડા ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં કાર ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ વૃદ્ધની ઓળખ 65 વર્ષના મીઠાભાઈ ધંધુકીયા તરીકે થઇ છે. જોકે, કારચાલક વૃદ્ધને ઉડાવી ભાગી ગયો હતો. જેના પગલે પોલીસે કારચાલકને પકડવા તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button