IPL 2025નેશનલ

ચિન્નાસ્વામી સ્ટેડિયમ દુર્ઘટના: કર્ણાટક ક્રિકેટ ઍસોસિયેશનના સેક્રેટરી અને ખજાનચીનું રાજીનામું

બેંગ્લૂરુ: બુધવારે અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. CHINNASWAMI STADIUM) નજીક થયેલી નાસભાગ અને ધક્કામુક્કીની જીવલેણ દુર્ઘટના સંદર્ભમાં નૈતિક જવાબદારી સ્વીકારીને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસયેશન (KSCA)ના સેક્રેટરી એ. શંકર અને ખજાનચી ઈએસ જયરામે પ્રમુખ રઘુરામ ભટ્ટને રાજીનામું સોંપી દીધું છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ આઈપીએલના 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ચેમ્પિયનપદ મેળવ્યું એને લગતી ઉજવણી વખતે સ્ટેડિયમની બહાર જમા થયેલા બેથી ત્રણ લાખ લોકોમાં સુરક્ષાને લગતી ગેરવ્યવસ્થાને પગલે નાસભાગ અને ધક્કામુક્કી (STEMPEDE)ની ઘટના બની હતી જેમાં 11 જણે જીવ ગુમાવ્યા હતા અને બીજા અનેક લોકો ઘાયલ થયા હતા.

શંકર અને જયરામે રાજીનામા (RESIGNATION)ના પત્રમાં લખ્યું છે કે ‘છેલ્લાં બે દિવસ દરમ્યાન જે અણધારી અને કમનસીબ ઘટનાઓ બની એમાં અમારી ભૂમિકા ખૂબ મર્યાદિત હતી એમ છતાં નૈતિક જવાબદારી સ્વીકારીને અમે અમારા હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છીએ.’

દરમ્યાન બેંગ્લૂરુ પોલીસે આરસીબી વિરુદ્ધ ગુરુવારે એફઆઈઆર નોંધી હતી. એમાં પોલીસે જણાવ્યું છે કે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઈવેન્ટ યોજવાની અમે (પોલીસે) પરવાનગી નહોતી આપી એમ છતાં ઇવેન્ટ નું આયોજન કરાયું હતું.

શુક્રવારે પોલીસે આરસીબીના માર્કેટિંગ તથા રેવન્યૂ વિભાગના ચીફ નિખિલ સૉસલેની ધરપકડ કરી હતી.
આ ધરપકડ બેંગ્લૂરુના નવા નિયુક્ત પોલીસ કમિશનર એસ. કે. સિંહે કરી. તેમના પુરોગામી કમિશનરને રાજ્યના મુખ્યપ્રધાન સીતારામૈયાએ સસ્પેન્ડ કર્યા હતા.

નિખિલ સૉસલેએ પોતાની ધરપકડ કરવા સામે બેંગ્લૂરુ પોલીસને અદાલતમાં પડકારી છે.
બેંગ્લૂરુ પોલીસે એફઆઈઆરમાં આરસીબી તેમ જ એના ઇવેન્ટ પાર્ટનર ડીએનએ એન્ટરટેઈનમેન્ટ તેમ જ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશનને આરોપી ગણાવ્યા છે.

આ પણ વાંચો….નિખિલ સોસલે કોણ છે? ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાસભાગ કેસમાં શા માટે થઈ ધરપકડ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button