ટોપ ન્યૂઝનેશનલ

ઓપરેશન સિંદૂરની સફળતાનો ગૂગલે આપ્યો પૂરાવો! આતંકવાદી સંગઠન JeM ના મુખ્યાલય પર લાગાવ્યું કાયમી બંધનું ટેગ

નવી દિલ્હીઃ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતે પાકિસ્તાનમાં આવેલા જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed)ના મુખ્યાલય પર હુમલા કર્યો હતો. હવે બહાવલપુર (Bahawalpur)ના ‘મરકઝ સુભાન અલ્લાહ કેમ્પ’ (Markaz Subhan Allah Camp)ને ગૂગલ મેપ્સ (Google Map) પર કાયમી બંધ તરીકે બતાવવામાં આવ્યું છે. આ એ જ જગ્યા છે જે આતંકવાદી મસૂદ અઝહર દ્વારા મસ્જિદના નામે સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ તેનો વાસ્તવિક હેતુ આતંકવાદીઓની ભરતી કરવાનો, કટ્ટરવાદનો પ્રચાર કરવાનો અને દાન એકત્રિત કરવાનો હતો. ભારતે 7 મેના રોજ, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યો હતો.

મરકઝ સુભાન અલ્લાહ કેમ્પ માટે ગૂગલે લખ્યું Permanently Closed

ભારત-પાકિસ્તાન સરહદથી લગભગ 100 કિમી દૂર આવેલા બહાવલપુર કેમ્પ જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય તાલીમ અને કટ્ટરપંથીકરણ કેન્દ્ર હતું. ભારતે કરેલા હુમલામાં બહાવલપુર કેમ્પને ભારે નુકસાન થયું હતું. આ કેમ્પને અલ-રહેમત ટ્રસ્ટ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. આતંકવાદી જૂથે ભારતમાં 2001માં સંસદ પર હુમલો, 2016માં પઠાણકોટ એરબેઝ પર અને 2019માં પુલવામા પર હુમલો કર્યો હતો. મહત્વની વાત એ છે કે, અત્યારે ગૂગલ મેપ્સમાં બહાવલપુર બાયપાસની બાજુમાં જામિયા મસ્જિદના આવરણ હેઠળ બનેલ મરકઝ સુભાન અલ્લાહ કાયમ માટે બંધ દર્શાવવામાં આવ્યું છે.

જૈશ-એ-મોહમ્મદ સાથે ભારતે આ કેમ્પ પણ ધ્વસ્ત કરેલા

ગૂગલ મેપ્સ પર કોઈ સ્થાનને કાયમી ધોરણે બંધ જાહેર કરવાનું કારણ ઘણીવાર યુઝર રિપોર્ટ્સ, લોકેશનના માલિક પાસેથી માહિતી અથવા ગુગલ અલ્ગોરિધમ્સની નિષ્ક્રિયતા હોય છે. પરંતુ ઘણા યુઝર્સ દ્વારા કેમ્પ બંધ થવાની પુષ્ટિ કર્યા બાદ ગૂગલે આ ફેરફાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ જગ્યા પાકિસ્તાનના 31મા કોર્પ્સના લશ્કરી મુખ્યાલયની નજીક સ્થિત હતું અને તેના 18 એકરના કેમ્પસમાં લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. ભારતે પહલગામ આતંકવાગદી હુમલાનો બદલો લેવા માટે જૈશ ઉપરાંત લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ઘણા અન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

મસૂદ અઝહર અનેક વાર પાકિસ્તાનમાં દેખાયો હતો

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે મુરિદકેમાં મરકઝ તૈયબા, સિયાલકોટમાં સરજલ કેમ્પ અને મેહમૂના ઝોયા કેમ્પ, કોટલીમાં અબ્બાસ કેમ્પ અને ગુલપુર કેમ્પ તેમજ મુઝફ્ફરાબાદમાં સૈયદના બિલાલ અને સવાઈ નાલા કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાની ભારતીય સેનાએ જાણકારી આપી હતી. મહત્વની વાત એ છે કે, જૈશ સંગઠનને પાકિસ્તાને 2002માં પ્રતિબંધિત કર્યો હોવા છતાં તેની પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલતી હતી. એ
એટલું જ નહીં પરંતુ મસૂદ અઝહરને પાકિસ્તાનમાં અનેક વાર જોવા મળ્યો હતો. જેથી ભારતે આ સ્થાન પર હુલમો કર્યો જે ભારતની મોટી જીત છે, અને હવે તો ગૂગલે પણ તેને સત્તાવાર રીતે બંધ કરીને ભારતની જીતનો સિક્કો મારી દીધો છે.

આ પણ વાંચો….અમેરિકા પહોંચેલું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ આંતકવાદ મુદ્દે ઘેરાયું, બેડ શેરમને કહ્યું જૈશ-એ-મોહમ્મદને ખતમ કરો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button