સુપ્રીમ કોર્ટનો કેન્દ્રીય અર્ધ સૈનિક દળોમાં આઇપીએસ અધિકારીઓની નિમણૂક બંધ કરવા આદેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે તેના મહત્વના ચુકાદામાં ગૃહ મંત્રાલયને કેન્દ્રીય અર્ધ સૈનિક દળોમાં આઇપીએસ અધિકારીની નિમણૂક બંધ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું અર્ધલશ્કરી દળોમાં આઇપીએસ અધિકારીઓના લેટરલ એન્ટ્રીને કારણે કેડર અધિકારીઓને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, સુપ્રીમ કોર્ટે આગામી બે વર્ષમાં ડેપ્યુટેશન પર આવતા આઇપીએસ અધિકારીઓની નિમણૂક ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે.
કેન્દ્રીય નિમણૂક પર ડેપ્યુટેશન પર આવે છે
દેશમાં કેન્દ્રીય પોલીસ દળોમાં અધિકારીઓની નિમણૂક બે રીતે થાય છે. સામાન્ય રીતે કેડરના અધિકારીઓની નિમણૂક આસિસ્ટન્ટ કમાન્ડન્ટથી લઈને ડીઆઈજી સુધીની હોય છે. આઇજીથી લઈને ડાયરેક્ટર જનરલ (DG) સુધીના પદો પર ફક્ત આઇપીએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. આ આઇપીએસ અધિકારીઓ થોડા સમય માટે કેન્દ્રીય નિમણૂક પર ડેપ્યુટેશન પર આવે છે.
કેડર અધિકારીઓ SSC દ્વારા કેન્દ્રીય પોલીસ દળોમાં જોડાય છે
જ્યારે કેડર અધિકારીઓ સર્વિસ સિલેક્શન કમિશન (SSC) પરીક્ષા પાસ કરીને કેન્દ્રીય પોલીસ દળોમાં જોડાય છે, ત્યારે ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ યુપીએસસી પરીક્ષા દ્વારા વિવિધ રાજ્ય પોલીસ સેવાઓમાં જોડાય છે. આ IPS અધિકારીઓ કેટલાક સમયથી કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર કેન્દ્રીય પોલીસ દળોમાં ઉચ્ચ પદો પર તૈનાત છે.
સુપ્રીમ કોર્ટે સમીક્ષાનો આદેશ આપ્યો
તાજેતરના વર્ષોમાં એડીજી રેન્ક સુધીના કેડર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ આવા અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી છે. આ જ કારણ છે કે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેન્ચે હવે ગૃહ મંત્રાલયને કેડર સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે.
કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની જવાબદારી
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં CRPF,BSFઅને ITBP ઉપરાંત સશસ્ત્ર સીમા દળ (SSB),કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)નો સમાવેશ થાય છે.
જ્યારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)આંતરિક સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે. ત્યારે BSF પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદની સુરક્ષા કરે છે.
એનડીઆરએફ રાહત- બચાવ કામગીરીમાં મદદરૂપ
SSB નેપાળ અને ભૂટાનની સુરક્ષા કરે છે અને ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ચીન સાથેની સરહદ પર બાજનજર રાખે છે. CISF દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓ અને વારસા સ્થળોની સુરક્ષા કરે છે. જ્યારે NDRF કુદરતી અને માનવીય આફતો સામે લોકોનું રક્ષણ કરે અને રાહત- બચાવ કામગીરીમાં મદદરૂપ થાય છે.
આ પણ વાંચો: પોક્સો કેસના આરોપીને સુપ્રીમ કોર્ટે કલમ 142નો ઉપયોગ કરી છોડી દીધો, જાણો શં છે કારણ…