દિલ્હી-શ્રીનગર Indigo ફ્લાઇટમાં મેજર ટર્બ્યુલન્સ, Video જોઈ રૂંવાડા ઉભા થઈ જશે

નવી દિલ્હી: બુધવારે સાંજે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ખરાબ હવામાનને કારણે કારણે દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં મેજર ટર્બ્યુલેન્સનો અનુભવ થયો હતો, વિમાનમાં સવાર 220 થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી (Turbulence in Delhi-Srinagar Indigo flight) ગયા હતાં. પાઇલટે શ્રીનગરમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને ઈમરજન્સીની જાણ કરી હતી.

ટર્બ્યુલેન્સ દરમિયાન ફ્લાઈટની અંદરના માહોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વિમાન જોરદાર રીતે ધ્રુજતું જણાય છે, આ દરમિયાન મુસાફરો ચીસો પાડતા, રડતા અને પ્રાર્થના કરતા સંભળાય છે. વિડીયોમાં જોવા મળે છે કે વિમાનમાં કોલાહલ મચેલો છે, ઓવર હેડ બિન પણ ખડખડાટ અવાજ કરી રહ્યું છે અને લોકો ડરથી પોતાની સીટ પકડી બેસી ગયા છે.
ખુબ મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં પાઈલોટે વિમાનને સાંજે 6:30 વાગ્યે શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું, અને અત્યાર સુધી કોઈ ઈજાના કોઈ અહેવાલ નથી. અહેવાલો મુજબ વિમાનના આગળના ભાગને નુકસાન થયું છે.
એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું:
શ્રીનગર એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ અને મુસાફરો સુરક્ષિત છે અને એરલાઇન દ્વારા વિમાનને ‘એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ'(AOG) જાહેર કરવામાં આવ્યું છે. મતલબ કે ટેકનિકલ અથવા સલામતીના કારણોસર તે કાર્ય માટે અસમર્થ છે.
એક મુસાફરે X પર આ ઘટનાના વીડિયો શેર કર્યો છે, યુઝરે કેપ્શનમાં લખ્યું: “દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગો ફ્લાઇટમાં અમે માંડ માંડ બચ્યા. કેપ્ટન અને કેબિન ક્રૂનો ખુબ ખુબ આભાર.”
દરમિયાન, ઇન્ડિગોએ એક સત્તરવાર નિવેદન જાહેર કરીને કહ્યું, “દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઇટ 6E 2142 ને અચાનક કરા પડવા(Hhailstorm)નો સામનો કરવો પડ્યો. ફ્લાઇટ અને કેબિન ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું અને વિમાનને શ્રીનગરમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. વિમાનના લેન્ડ થયા પછી એરપોર્ટ ટીમે ગ્રાહકોની સંભાળ રાખી, તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપી. જરૂરી નિરીક્ષણ અને જાળવણી પછી વિમાનને રિલીઝ કરવામાં આવશે.”