ગુજરાતના અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગમા મંદી, માત્ર 113 જહાજો ભંગાણ માટે આવ્યા

અમદાવાદ : ગુજરાતના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં દર વર્ષે મોટી સંખ્યામા જહાજો ભંગાણ માટે આવે છે. પરંતુ હાલ
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભારે મંદીનું ગ્રહણ છવાયું છે. છેલ્લા એક વર્ષમાં ભંગાવા માટે માત્ર 113 જહાજો આવ્યા છે, જે 11 વર્ષમાં સૌથી ઓછા છે. જ્યા એક સમયે 400 થી 500 જહાજો વર્ષ દરમિયાન આવતા હતા, તેમા સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય પરિબળો શિપ રિસાયકલિંગ વ્યવસાયને સતત અસર કરી રહ્યા છે. અને તેના કારણે જહાજોનો જથ્થો અલંગમાં આવવાનું ઓછું થતા મંદી જોવા મળી રહી છે.
જેમા આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2024-25 દરમિયાન અલંગમાં કુલ 113 જહાજ જ ભંગાવા માટે આવ્યા છે, અને તેનું કુલ વજન 9,38,354,43 મેટ્રિક ટન એલડીટી છે. વર્ષ 2024-25 દરમિયાન 11 વર્ષના સૌથી ઓછા જહાજ લાંગર્યા છે અને વજનની દ્રષ્ટિએ અગાઉની સરખામણીએ નિમ્ન સ્તરના આંકડા છે.
450 થી વધારે જહાજો ભંગાણ માટે આવતા હતા
ભૂતકાળમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં વર્ષના 450 થી વધારે જહાજો ભંગાણ માટે આવતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી જહાજોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષમાં માત્ર 113 જહાજો અલંગમાં ભંગાણ માટે આવતા શિપબ્રેકરોની ચિંતા પણ વધી છે. જોકે ઊંડે ઊંડે આશા પણ છે કે આવતા એકાદ વર્ષમાં કદાચ અલંગની સ્થિતિમાં સુધારો થઈ શકે તેમ છે. અલંગ શિપબ્રેકિંગમાં ધીરે ધીરે મંદીમાં થઈ રહેલો વધારાના કારણોમાં સ્થાનિક પરિબળો, બજારની સ્થિતિ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પરિબળો છેલ્લા એક વર્ષમાં અલંગની માઠી દશા માટે વર્ષ 2024-25 અત્યંત નિરાશા જનક રહ્યું છે.
આ પણ વાંચો: IIM અમદાવાદનું કેમ્પસ દુબઈમાં શરુ થશે, જાણો કઈ રીતે મળશે એડમીશન
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવેરા, ચાર્જીસમાં ઘટાડો કર્યો
આ મંદી માટે આતર રાષ્ટ્રીય યુદ્ધની સ્થિતિ, અમુક દેશો વચ્ચે ચાલતા યુદ્ધો, ડોલરની મજબૂતાઈ, ભારતમાં બીઆઆઈએસ ને મંજૂરી નહિ જેવા અનેક કારણો જવાબદાર સાબિત થયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવેરા, ચાર્જીસમાં ઘટાડો કર્યો છે.