સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને બીલ પર નિર્ણય કરવા સમય મર્યાદા નક્કી કરી, રાષ્ટ્રપતિ વિષે પણ મહત્વની ટીપ્પણી કરી

નવી દિલ્હી: છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય સરકારો અને રાજ્યપાલો વચ્ચેના ઘર્ષણના કિસ્સા બન્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે રાજ્યપાલ ચૂંટાયેલી સરકારના બિલોને અનિશ્ચિત સમય માટે રોકી શકે નહિ. આ સંદર્ભમાં, સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ અંગે પણ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું આવ્યું છે કે કોઈપણ બિલ ત્રણ મહિનાથી વધુ સમય માટે પેન્ડિંગ ન રહેવું જોઈએ. કોર્ટે એ વાત પર ભાર મુક્યો કે જો બિલ મંજૂર કરવામાં વિલંબ થાય છે, તો તેનું કારણ આપવું ફરજિયાત છે.
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી મહત્વપૂર્ણ છે કારણ કે બંધારણના અનુચ્છેદ 201 માં રાજ્યપાલે બીલ પર કાટલા સમયમાં નિર્ણય લેવો જોઈએ એનો ઉલ્લેખ નથી. હવે સુપ્રીમ કોર્ટે ચોક્કસ સમયમર્યાદા આપી છે, જે આવનારા અન્ય કેસ માટે મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે લગાવી કેન્દ્ર સરકારને ફટકાર, અકસ્માત પીડિતો માટે કેશલેશ સારવાર અંગે સ્પષ્ટતા માંગી
જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવને કહ્યું હતું કે અમે એક વાત સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે, જો કોઈ બંધારણીય સત્તા સમય મર્યાદામાં પોતાની ફરજો નહીં નિભાવે તો કોર્ટ પણ શક્તિહીન નહીં રહે અને તેમાં હસ્તક્ષેપ કરશે.
બેન્ચે કહ્યું કે કલમ 201 પર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તણાવ રહ્યો છે, કોઈપણ બિલ પસાર કરવા માટે કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી, તેથી વિવાદો થતા રહે છે.
સુનાવણી દરમિયાન, બેન્ચે સરકારિયા કમિશનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે બિલોને સમયસર મંજૂર કરવા માટે સમયરેખા નક્કી કરવી જરૂરી છે. ત્યાર બાદ, પુંછી કમિશનમાં પણ આવા જ સૂચનો આપવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટની બેન્ચે ચુકાદામાં કહ્યું કે જ્યારે બિલ પર ચર્ચા કરવાની હોય ત્યારે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકાય નહીં, પરંતુ તેમ છતાં તેને રાષ્ટ્રપતિ પાટે નિષ્ક્રિય રહેવાનું કારણ માની શકાય નહીં.