સ્પોર્ટસ

યુવરાજ પાછો આવી રહ્યો છે સિક્સરનો વરસાદ વરસાવવા, આ ટીમમાં થઈ ગયું સિલેક્શન

નવી મુંબઈ, રાજકોટ વગેરે સ્થળે રમાશે મૅચો

નવી દિલ્હીઃ ક્રિકેટના મહાન બૅટર્સમાં ગણાતો યુવરાજ સિંહ ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ (આઇએમએલ)ની પ્રથમ સીઝનમાં ઇન્ડિયા માસ્ટર્સ ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા બાવીસમી ફેબ્રુઆરીએ શરૂ થશે અને 16મી માર્ચે પૂરી થશે. સચિન તેન્ડુલકર ભારતની આ ટીમનું સુકાન સંભાળશે.

યાદ છેને! 2007માં ટી-20ના પહેલા જ વર્લ્ડ કપમાં યુવરાજે ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રૉડની ઓવરના છ બૉલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.

બે વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમના ખેલાડી અને શ્રેષ્ઠ લેફ્ટ-હૅન્ડ બૅટર્સમાં ગણાતા યુવીએ 2007ના વિશ્વ કપમાં ભારતને સૌપ્રથમ ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ તેને એ ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ઘોષિત કરવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટની મૅચો નવી મુંબઈ તેમ જ રાજકોટ અને રાયપુરમાં રમાશે.

આપણ વાંચો: પોતાની બાયોપિક માટે યુવરાજ સિંહની પહેલી પસંદ છે આ એક્ટર, કહ્યું એ મારા જેવો જ છે

યુવરાજ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના જે. પી. ડુમિની તેમ જ શ્રીલંકાના ઉપુલ થરંગાએ પણ આઇએમએલમાં પોતે રમશે એવી પુષ્ટિ આપી છે. ડુમિની સાઉથ આફ્રિકા માસ્ટર્સ વતી અને થરંગા શ્રીલંકા માસ્ટર્સ વતી રમશે.

યુવીએ કહ્યું છે કે `સચિન અને મારા જૂના કેટલાક સાથીઓ સાથે મેદાન પર ઉતરીશ એટલે ગૌરવશાળી દિવસોની યાદ તાજી થશે. હું મારા પ્રશંસકો માટે ફરી એકવાર યાદગાર પર્ફોર્મ કરવા ઉત્સુક છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button