આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પોર્ટસ

ન્યૂ ઝીલેન્ડ સામે હાર બાદ બીસીસીઆઇનો મોટો નિર્ણયઃ રાહુલ અને જુરેલ ઇન્ડિયા-એ માં સામેલ…

મુંબઇઃ ન્યૂ ઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં 3-0થી હાર મળ્યા બાદ બીસીસીઆઇ એક્શનમાં જોવા મળ્યું છે. બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ મોટો નિર્ણય લેતા વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલનો ઇન્ડિયા-એની ટીમમાં સમાવેશ કર્યો છે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કિપર બેટ્સમેને નિવૃત્તિ જાહેર કરી, આવી રહી ક્રિકેટની કારકિર્દી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ડિયા-એ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે હાલમાં ત્રણ મેચોની બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 7 નવેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ માટે મોટો નિર્ણય લીધો છે. બોર્ડે રવિવારે આ મેચ માટે કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલને ઓસ્ટ્રેલિયા મોકલવાનો નિર્ણય કર્યો હતો.

બંને વિકેટકીપર બેટ્સમેનોને 22 નવેમ્બરથી શરૂ થનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પણ પસંદ કરવામાં આવ્યા છે. આ મેચ પહેલા બોર્ડે કેએલ રાહુલ અને ધ્રુવને ઓસ્ટ્રેલિયા-એ સામેની ટીમમાં સામેલ કર્યા છે. તે ગુરુવારથી રમાનારી મેચ માટે ઉડાન ભરશે.

કેએલ રાહુલ અને જુરેલ ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ હતા. રાહુલે આ સીરિઝની ઓપનિંગ મેચ રમી હતી. જો કે, તે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને ટીમ મેનેજમેન્ટે તેના સ્થાને સરફરાઝ ખાનને સામેલ કર્યો હતો.

આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરનાર જુરેલને ઋષભ પંતની વાપસી બાદ એકપણ મેચમાં તક મળી નથી.

આ પણ વાંચો : IND vs AUS Test series: BCCIએ આ બે ખેલાડીઓને વહેલા ઓસ્ટ્રેલિયા મોકલ્યા, આ કારણે લેવાયો નિર્ણય

ભારતીય ટીમ મેનેજમેન્ટ પ્રવાસ માટે પસંદ કરાયેલા દરેક ખેલાડીને ઈજાની સમસ્યાનો સામનો કરવા માટે મેદાન પર સમય પસાર કરવાની તક આપવા માંગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button