ઇન્ટરનેશનલ

Canada Dream: કેનેડા જતા પહેલાં વાંચી આ લો સમાચાર, નહીંતર….

નવી દિલ્હીઃ ભારતીયો અને ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા જાણીતી છે. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ હાલ ભારતીયોની પ્રથમ પસંદગી છે. આ દરમિયાન કેનેડાનું સપનું જોતા કે ત્યાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડા વર્ક પરમિટના નિયમોમાં બદલાવ કરી રહ્યું છે. જેની અસર ભારતીયો પર પડી શકે છે.

કેનેડાએ તેની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટના નિયમોમાં મોટા પાયે બદલાવ કર્યા છે, જે 1 નવેમ્બરથી લાગુ થશે. આ નિયમોમાં જણાવાયું છે કે હવે ન્યૂનતમ કનેડિયન ભાષા બેંચમાર્ક CLB Canadian Language Benchmark)અનિવાર્ય છે, અને CELPIP, IELTS તથા PTE CORE જેવી પરીક્ષાઓના પરિણામ સ્વીકારી શકાશે.

જે ક્ષેત્રોમાં કેનેડામાં લાંબા સમયથી લોકોની અછત છે તેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમાં ખેતી, કૃષિ-ખાદ્ય, સ્વાસ્થ્ય, વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત, વ્યાપાર અને પરિવહન સામેલ છે. નિયમોનો નવો સેટ વર્તમાન નિયમોમાં જોડવામાં આવી રહ્યો છે. ઉમેદવારોને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ચલાવતી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી, સંસ્થામાંથી અભ્યાસ પૂરો કરવો પડશે. નવા નિયમ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 10 ટકા સુધી ઓછી કરવાની કેનેડિયન સરકારની રણનીતિનો હિસ્સો છે.

અંગ્રેજી ઉપરાંત આ ભાષાઓ શીખવી પડશે

એવું માનવામાં આવે છે કે નવા નિયમો અનુસાર કેનેડામાં નોકરી મેળવવા માટે માત્ર અંગ્રેજી જ નહીં પરંતુ ફ્રેન્ચ ભાષા પણ ફરજિયાત હશે. કેનેડા સરકાર ભાષાની કુશળતા તપાસવા માટે પોતાના ધોરણો તૈયાર કરી રહી છે. નોકરી મેળવવા માટે, ઉમેદવારે આ ભાષાઓ વાંચવાની, લખવાની, સાંભળવાની અને બોલવાની તેની ક્ષમતા સાબિત કરવી પડશે.

ભારતીય વિદ્યાર્થીઓ પર નવા નિયમોની શું અસર થશે?

કેનેડા એ ભારતીય વિદ્યાર્થીઓ માટે મનપસંદ સ્થળો પૈકીનું એક છે જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ કોલેજો અને યુનિવર્સિટીઓ બંનેમાં બહુમતીમાં જોવા મળે છે. કેનેડિયન બ્યુરો ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશન (CBIE)ના 2022 ના રિપોર્ટ અનુસાર, કેનેડામાં 3,19,130 ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જાન્યુઆરીથી જૂન 2024 સુધી આ આંકડો 1 લાખ છે. કેનેડામાં કામ કરનારા લોકો અને વિદ્યાર્થીની સંખ્યા 2019માં 4,37,000 હતી તે વધીને 2023માં 1.2 મિલિયન પહોંચી હતી.

ભારતીયોની વધશે મુશ્કેલી

તેની સાનુકૂળ ઇમિગ્રેશન નીતિને કારણે કેનેડાને ઘણા ભારતીયો માટે અમેરિકાના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. જોકે, તાજેતરના ફેરફારોને કારણે ભારતીયોને મોટો આંચકો લાગે તેવી શક્યતા છે. છેલ્લા એક દાયકામાં કેનેડા ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે સૌથી વધુ ઇચ્છિત સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં ઘણા લોકો PR મેળવવા માટે કામચલાઉ વર્ક પરમિટ માટે અરજી કરવાનું પસંદ કરે છે. નવા પ્રતિબંધો, એકવાર લાદવામાં આવ્યા પછી, ભારતીય લોકોની મહત્વાકાંક્ષામાં ઘટાડો થશે અને ભારતીય વિદ્યાર્થીઓ માટે PR હાંસલ કરવાનું વધુ મુશ્કેલ બનાવશે.

કેનેડા સરકાર શું કહે છે?

ટ્વિટર પર એક પોસ્ટમાં, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે સરકાર આ વર્ષે 35 ટકા ઓછી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટ આપી રહી છે અને આવતા વર્ષે, આ સંખ્યામાં વધુ 10% ઘટાડો થશે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, લગભગ 13.35 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી લગભગ 4,27,000 કેનેડામાં અભ્યાસ કરવા આવે છે.

કેનેડા સરકારનો હેતુ ઓછા વેતન પર કામ કરતા અસ્થાયી વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવાનો છે અને તેમના કામના કલાકોની લંબાઈ પણ ઘટાડી રહી છે. ટ્રુડોના જણાવ્યા મુજબ, કોવિડ મહામારી પછી અમે અમારા પ્રોગ્રામમાં ફેરફારો કર્યા છે, પરંતુ શ્રમ બજાર બદલાઈ ગયું છે. અમને કેનેડિયન કારોબારમાં રોકાણ કરવા માટે વ્યવસાયોની જરૂર છે.

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker