સ્પોર્ટસ

ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે સચિન તેંડુલકર, કોની સાથે રમશે?


મુંબઈઃ ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરની ફરી એક વાર મેદાનમાં વાપસી થશે. સચિન તેંડુલકર આ વર્ષે ત્રણ સ્થળોએ યોજાનારી પ્રથમ ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (આઈએમએલ)માં ભાગ લેશે. આ ટી-20 સ્પર્ધામાં છ ટીમો ભાગ લેશે.
આઈએમએલમાં ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાના ખેલાડીઓ ભાગ લેશે અને તેમની મેચો મુંબઈ, લખનઉ અને રાયપુરમાં રમાશે. દર વર્ષે આયોજિત યોજાનારી આ ટી-20 ટૂર્નામેન્ટમાં તેંડુલકર અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરની યોજનાનો એક ભાગ છે. ગાવસ્કર આ લીગના કમિશનર પણ હશે.

આ પણ વાંચો: હેફેલે સચિન તેંડુલકરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આવકાર્યો

તેંડુલકર અને ગાવસ્કર પીએમજી સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ માર્કેટિંગ કંપની સ્પોર્ટ્સફાઇવ સાથે ભારતમાં લીગનું આયોજન કરવા માટે બીજી કંપની સ્થાપશે. ફ્રેન્ચાઇઝ્ડ ટીમોમાંથી એકની માલિકીની માધ્યમથી લીગમાં ભાગ લેવા માટે રસ ધરાવતા પક્ષોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ISPLમાં ટેપ લગાવેલા ટેનિસ બોલની રિવર્સ સ્વિંગથી બેટ્સમેનોની થશે પરીક્ષાઃ સચિન તેંડુલકર

તેંડુલકરે કહ્યું હતું કે, “ટી-20 ક્રિકેટે છેલ્લા એક દાયકામાં ઝડપથી લોકપ્રિયતા મેળવી છે અને નવા ચાહકોને રમત તરફ આકર્ષ્યા છે. હવે તમામ ઉંમરના ચાહકો નવા ફોર્મેટમાં જૂની જંગને જોવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા