નો આધાર નો એન્ટ્રીઃ નવરાત્રી માટે બનશે નવો નિયમ?
![A group of people playing Garba in Ahmedabad, India.](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/garba-mum-686x470.jpg)
સૌરાષ્ટ્રમાં નવરાત્રીના દાંડીયા- રાસ-ગરબાનાં મોટા પાયે આયોજનો થયાં છે. ખાસ કરીને રાજકોટમાં આ વખતે પાર્ટી પ્લોટ પણ નવરાત્રી મહોત્સવ માટે બૂક થઇ ગયાં છે. પરંતુ નવરાત્રીના રાસ -ગરબામાં ખેલૈયાઓને આધાર કાર્ડ લઈ એન્ટ્રી આપવા માંગણી સ્થાનિક સંસ્થાઓએ કરી છે.
રાજકોટના અલગ-અલગ સમાજના આગેવાનોએ પોલીસ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અર્વાચીન રાસોત્સવમાં જે ખેલૈયાઓ આવે તેના આધારકાર્ડ અને આઈ કાર્ડ લઈને જ પાસ ઇસ્યુ કરવામાં આવે. અત્યાર સુધી માત્ર નંબર આપીને પાસ ઇસ્યુ કરવામાં આવતા કરવામાં આવતા હતા. પરંતુ હવે પૂરેપૂરું નામ લખવામાં આવે જેથી સાથે રમતા ખેલૈયાઓને ખબર પડે કે તેઓ કોની સાથે રમે છે. તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ કમિશ્નર જાહેરનામું પ્રસિદ્ધ ન કરે તો આયોજકોએ પોતે આ રીતે આયોજન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
કરણી સેનાએ પણ મહિલાઓને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો દ્વારા ગરબા રમવા આવતા લોકોના આધાર કાર્ડ લઈને પાસ ઇસ્યુ કરવાની માંગણી કરી છે.