આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાયુતિ સરકાર પર સંકટ?

વિધાનસભાની ચૂંટણી પહેલા ‘સ્વાભિમાન-અપમાન’ની રાજનીતિ શરૂ થઈ
: શું અજિત પવાર મહાયુતિ છોડશે?

મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ સરકારના પ્રધાન તાનાજી સાવંતના તાજેતરના નિવેદનથી રાજ્યના રાજકારણમાં નવો રાજકીય ભૂકંપ આવી ગયો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)એ સાવંતના નિવેદનને અજિત પવારના અપમાન સાથે જોડ્યું છે.

આવી સ્થિતિમાં ચર્ચા શરૂ થઈ કે શું શિંદેની આગેવાની હેઠળની મહાયુતિ સરકાર મોટા સંકટનો સામનો કરી રહી છે, કારણ કે એનસીપીના નેતાઓએ તાનાજી સાવંતના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપવાની ચાલુ કરી દીધી છે. પાર્ટીએ આ મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર પણ નિશાન સાધ્યું છે. તાનાજી સાવંત રાજ્યના આરોગ્ય પ્રધાન છે.

તેઓ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના ક્વોટામાંથી પ્રધાન બન્યા છે. તેમણે કહ્યું હતું કે જ્યારે હું કેબિનેટની બેઠકમાં અજિત પવારની બાજુમાં બેઠો છું ત્યારે મને ઉબકા આવે છે. હવે જોવાનું એ રહે છે કે મુખ્ય પ્રધાન સાવંત સામે શું કાર્યવાહી કરે છે?
મહાયુતિ પર સંકટ ?

એનસીપી (શરદ પવાર જૂથ)ના પ્રવક્તા મહેશ તાપસેએ કહ્યું છે કે તાનાજી સાવંતે ભાજપ અને શિંદેના કહેવા પર આ નિવેદન આપ્યું છે. તાપસેના કહેવા પ્રમાણે મુખ્ય પ્રધાન શિંદે અજિત પવાર વિશે જે વિચારે છે તે તાનાજી સાવંતે કહ્યું છે. શરદ જૂથના પ્રવક્તા તાપસેએ કહ્યું હતું કે અજિત પવાર સ્વાભિમાની નેતા છે. આનાથી એવો સવાલ ઊભો થયો છે કે શું તેઓ સત્તાના લોભને કારણે હજુ પણ સરકારમાં રહેશે?

આ પણ વાંચો: ભ્રષ્ટાચાર ક્યાં કરવો, તેનો ખ્યાલ પણ સરકારને નથી રહ્યો: શરદ પવાર

તાનાજી સાવંતના નિવેદન પર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)ના પ્રવક્તા ઉમેશ પાટીલે કહ્યું હતું કે, કાં તો તે (તાનાજી સાવંત) રહેશે અથવા એનસીપી’.

પાટીલે તો ત્યાં સુધી કહ્યું છે કે જો તેમને કેબિનેટમાંથી બરતરફ નહીં કરવામાં આવે તો અમારે (એનસીપી) મહાયુતિ કેબિનેટ છોડી દેવી જોઈએ. લોકસભા ચૂંટણીમાં મહાયુતિના નબળા પ્રદર્શન બાદ આરએસએસના મુખપત્ર ઓબ્ઝર્વરમાં અજિત પવાર પર નિશાન સાધવામાં આવ્યું હતું, પરંતુ સાવંતના આ નિવેદનથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ નારાજ છે. આવી સ્થિતિમાં એનસીપી અજિત પવારના અપમાનને મુદ્દો બનાવશે અને મહાગઠબંધનમાંથી બહાર આવશે કે કેમ તે જોવાનું રહેશે.

મહાયુતિમાં બધું બરાબર નથી

મહારાષ્ટ્રના રાજકારણ પર નજર રાખનારા વિશ્લેષકો દાવો કરી રહ્યા છે કે મહાયુતિમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. તેમનું કહેવું છે કે અજિત પવારના નેતૃત્વમાં એનસીપી જે રીતે લાડકી બહેન યોજનાનું શ્રેય લેવાનો પ્રયાસ કરી રહી છે તેનાથી શિંદે જૂથ અને ભાજપ પણ અસ્વસ્થ છે.

આ પણ વાંચો: Shivaji Maharaj Statue Collapse: મહાયુતિમાં ભ્રષ્ટાચારે હદ પાર કર્યાનો ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર

અજિત પવાર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે નાણાં વિભાગ સંભાળતા હોવા છતાં આ યોજના મુખ્યમંત્રીના નામે છે. વિશ્લેષકોનું કહેવું છે કે બદલાપુર ઘટના પર એનસીપીએ થાણેમાં જે રીતે પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં, સિંધુદુર્ગમાં શિવાજી મહારાજની પ્રતિમા તૂટ્યા બાદ અજિત પવારે મહાયુતિ વતી મહારાષ્ટ્રની 13 કરોડ જનતાની માફી માંગી હતી. એ પછી પાર્ટીએ મુંબઈમાં આત્મક્લેશ આંદોલન કર્યું અને અજિત પવારે પોતે સિંધુદુર્ગ સ્થિત રાજકોટ કિલ્લાની મુલાકાત લીધી છે. તેનાથી મહાયુતિમાં બેચેની વધી છે.

અજિત પવારે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી. કિલ્લાનું પણ નિરીક્ષણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજ આપણું સ્વાભિમાન છે, આપણી ઓળખ છે એવું કહીને અજિત પવારે એવું વચન આપ્યું હતું કે ટૂંક સમયમાં જ મહારાજાની એક મજબૂત અને વિશાળ પ્રતિમા આ સ્થાન પર સન્માન સાથે ઉભી રહેશે.

આ પણ વાંચો:મહાયુતિ જ વિધાનસભાની હાંડી ફોડશે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

અજિત પવાર પાસે ક્યા વિકલ્પ?

જો મહાગઠબંધન છોડવાની પરિસ્થિતિ ઊભી થાય તો અજિત પવાર પાસે બે વિકલ્પ છે: કાં તો શરદ પવાર સાથે જાઓ અથવા સ્વતંત્ર રીતે ચૂંટણી લડો. તાનાજી સાવંતે જે રીતે નિશાન સાધ્યું છે. પક્ષના નેતાઓ તેનાથી અસ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં તાજેતરના સમયમાં કોઈએ અજિત પવાર પર આવી અંગત ટિપ્પણી કરી નથી.

તાજેતરમાં રાજ ઠાકરેએ અજિત પવારની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમણે ક્યારેય જાતિના રાજકારણને પ્રોત્સાહન આપ્યું નથી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની ધારણા છે.

શું મહારાષ્ટ્રમાં 2014ની સ્થિતિ પાછી આવશે?
અજિત પવાર મહાયુતિમાં જોડાયા પછી જ વિરોધનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપનો એક મોટો વર્ગ નારાજ હોવાનું કહેવાય છે. લોકસભાની ચૂંટણીમાં જ્યારે મહાયુતિ માત્ર 17 સીટો પર જ આવી ગઈ ત્યારે અજિત પવાર પરના હુમલાઓ તેજ થઈ ગયા.

રતન શારદાએ સ્પષ્ટપણે એનસીપીને સાથે લેવાને આત્મઘાતી પગલું ગણાવ્યું હતું. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં 2014ની સ્થિતિ સર્જાશે કે કેમ તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે રાજ્યમાં તમામ મોટા પક્ષો અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…