તરોતાઝા

જો શરીરમાં હંમેશાં આળસ અને થાક રહેતો હોય તો આ આદતોથી અપનાવો આળસ દૂર થઈ જશે

હેલ્થ વેલ્થ -નિધિ ભટ્ટ

આજકાલ લોકોનું સમયપત્રક ખૂબ જ વ્યસ્ત થઈ ગયું છે, તેઓ આખો દિવસ પોતાના
કામમાં વ્યસ્ત થઈ જાય છે, જેથી કેટલાક
લોકોને આરામથી બેસીને ખાવાનો સમય પણ મળતો નથી. આવી સ્થિતિમાં, દિવસભરની ધમાલ વચ્ચે ઘણા લોકો નબળાઇ અનુભવવા લાગે છે. પરંતુ સ્વસ્થ રહેવા માટે અને
કામ કરવા માટે પણ શરીરમાં એનર્જી હોવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત, સવારે
ઊંઘમાંથી જાગ્યા પછી, વ્યક્તિને ફરીથી ઊંઘવા જેવું લાગે છે અને વ્યક્તિને આખો દિવસ શરીરમાં ઊર્જા અને આળસનો અભાવ
લાગે છે.

આળસ ને દૂર કરવા માટે પહેલાં આપણી જીવનશૈલી ને નિયમિત બનાવવી પડશે અને શરીર અને મનને તંદુરસ્ત બનાવવું પડશે. નિયમિત જીવનશૈલી એટલે તમારા કામનો જમવાનો સૂવાનો અને જે કાંઈ પણ કાર્ય કરતાં હોય તેનો સમય નક્કી કરો અને તેના મુજબ ચાલો. આ ઉપરાંત, કેટલીક સરળ પદ્ધતિઓ શરીરમાં ઊર્જા સ્તરને વધારવામાં મદદ કરી શકે છે.

પૂરતી ઊંઘ મેળવો
આજકાલ લોકો રાત્રે મોડે સુધી જાગે છે અને ઓફિસ જવા માટે સવારે વહેલા ઊઠે છે. આવી સ્થિતિમાં તેમને પૂરતી ઊંઘ થતી નથી. જેના કારણે તેઓ દિવસભર થાક અને નબળાઈ અનુભવે છે. તેથી, તમારે દરરોજ ૭ થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ. આ માટે રાત્રે સમયસર સૂઈ જાઓ અને સવારે યોગ્ય સમયે ઊઠો.

વર્કઆઉટ મહત્ત્વપૂર્ણ છે
કોઈપણ વર્કઆઉટ તમારા શરીરમાં
ઊર્જા વધારવામાં મદદ કરી શકે છે. દરરોજ ૨૦ થી ૩૦ મિનિટ વર્કઆઉટ કરો.
તમે તમારા દિનચર્યામાં મોર્નિંગ વોક, યોગ અથવા સરળ કસરતનો પણ સમાવેશ કરી
શકો છો.

વિરામ લો
આજકાલ ઘણા લોકો ડેસ્ક વર્ક કરે છે. આવી સ્થિતિમાં, તમે આખો દિવસ એક જગ્યાએ બેસીને થાક અનુભવી શકો છો. તેથી થોડો સમય વિરામ લો. લંચ ટાઈમ દરમિયાન તમારા મિત્રો સાથે ફરવા જવાનો પ્રયાસ કરો, કામ વચ્ચે બ્રેક લો. આ તમારા મૂડને પણ ફ્રેશ કરશે અને ઉત્પાદકતામાં વધારો કરવામાં પણ મદદ મળશે. જ્યારે તમે ચાલ્યા પછી કે ચા પીધા પછી કામ પણ કરશો, તો તમને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળશે.

તંદુરસ્ત ખોરાક
ઘણા લોકો ઉતાવળમાં નાસ્તો છોડી દે છે. પરંતુ તેના કારણે તમે દિવસભર નબળાઈ અનુભવી શકો છો. તેથી સવારે નાસ્તો અવશ્ય કરો. જંક ફૂડનું સેવન પણ ઓછું કરો, તેના બદલે ઘરે બનાવેલું હેલ્ધી ફૂડ ખાઓ. ડિહાઈડ્રેશનને કારણે વ્યક્તિ થાક અને નબળાઈ અનુભવવા લાગે છે. જ્યારે શરીરમાં પાણીની ઊણપ હોય છે, ત્યારે તે ઓક્સિજનનું સ્તર ઘટાડી દે છે, જેના કારણે તમે થાક અને નબળાઈ અનુભવો છો. દરરોજ ઓછામાં ઓછું ૩ લિટર પાણી પીવું જોઈએ.

બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાનું ટાળો
આજકાલ ફૂડ હેબિટ્સ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. લોકો કામકાજના કારણે ઘણી વખત બહારનો ખાદ્યપદાર્થ અથવા અત્યંત પ્રોસેસ્ડ પેકેજ્ડ વસ્તુઓનું સેવન કરે છે. આમ ઘણા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ, ઉચ્ચ માત્રામાં ખાંડ અને મીઠું શરીરમાં પ્રવેશ કરે છે, જે આળસ અને ઓછી ઊર્જાનું કારણ બને છે. બિનઆરોગ્યપ્રદ ખોરાકનું સતત સેવન અનેક ગંભીર રોગોને પણ પ્રોત્સાહન આપે છે

ધ્યાન
આજની વ્યસ્ત જીવનશૈલીમાં વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓથી પરેશાન રહે છે. ઘર અને કામનું ટેન્શન વ્યક્તિના મૂડ પર પણ અસર કરે છે, જેના કારણે તેનો સ્વભાવ ચીડિયો થવા લાગે છે. આવી સ્થિતિમાં ધ્યાન એ રામબાણ ઈલાજ છે. મેડિટેશન કરવાથી મન શાંત થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ અનુભવાય છે. આ ઉપરાંત પોતાનામાં સર્જનાત્મક કળા વિકસાવો અને હંમેશાં કોઈ ક્રિએટિવીટી કરતા રહો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને?