નેશનલ

બિહારમાં પુલ તૂટવાનો સિલસિલો જારી, વધુ એક પુલ ઓમ ધબાય નમઃ

બિહારના ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની નદી ગંગા પર નિર્માણાધીન ફોર-લેન પુલનો એક ભાગ ત્રીજી વખત ગંગા નદીમાં તૂટી પડ્યો છે. એસપી સિંગલા કંપની આ બ્રિજ બનાવી રહી છે. આ બ્રિજ ખગરિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે. પુલ ધરાશાયી થવાનું કારણ પૂરના કારણે થાંભલા ડૂબી જવા હોવાનું કહેવાય છે. બ્રિજ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કારણ કે આ સમયે પૂરના કારણે પુલ બનાવવાનું કામ અટકી ગયું હતું. કહેવાય છે કે સુલતાનગંજથી અગુઆની ઘાટ સુધીના પિલર 9 અને 10ની વચ્ચેનો ભાગ ગંગા નદીમાં ડૂબી ગયો છે. જેના કારણે પિલર નબળો પડી ગયો હતો અને એક ભાગ પુલ પર પડી ગયો હતો.

આ બ્રિજનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પૂરના કારણે બ્રિજ બનાવવાનું કામ અટકી ગયું હોવાનું જોઈ શકાય છે. તે જ સમયે, એક ભાગ પડી ગયો છે. જ્યારે શુક્રવારે પણ પુલનો એક ભાગ નદીમાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો.
આ પુલ અગાઉ પણ બે વખત પડી ગયો છે. આ પુલ પહેલીવાર 30 એપ્રિલ 2022ના રોજ તૂટી પડ્યો હતો. આ પછી, 4 જૂન, 2023 ના રોજ, પુલનો એક ભાગ નદીમાં પડ્યો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પુલ તૂટી પડવા અંગે કોઈ નિષ્પક્ષ તપાસ થઈ નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભ્રષ્ટાચારના કારણે રાજ્યમાં દરરોજ પુલ ધરાશાયી થવાની ઘટનાઓ બને છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?