નેશનલ

Rahul Gandhiને ફરી EDનું તેડું આવી શકે છે! હવે આ મામલે પૂછપરછ થવાની શક્યતા

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) ફરી એકવાર કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)ની પૂછપરછ કરી શકે છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. એક અખબારી અહેવાલ મુજબ, ED નેશનલ હેરાલ્ડ કેસ(Nation Herald Case)માં તેમની પૂછપરછ કરવા માંગે છે. આ પહેલા EDએ જૂન 2022માં પણ આ જ કેસમાં તેમની પૂછપરછ કરી હતી. ત્યારબાદ EDએ લગભગ 4 રાઉન્ડ પૂછપરછ હાથ ધરી હતી. EDએ રાહુલ ગાંધીને 40 થી વધુ પ્રશ્નો પૂછ્યા હતા. આ મામલે EDએ સોનિયા ગાંધીની પણ પૂછપરછ કરી છે.

નેશનલ હેરાલ્ડ સાથે શું મામલો છે?
ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ 1938માં ધ નેશનલ હેરાલ્ડની સ્થાપના કરી હતી. તે એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. થોડા સમય પછી AJL નોન કોમર્શિયલ કંપની તરીકે સ્થપાઈ. કંપની એક્ટની કલમ 25 હેઠળ પણ તેને ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. AJL એ માત્ર અંગ્રેજીમાં નેશનલ હેરાલ્ડ જ પ્રકાશિત નથી કર્યું, તેણે ઉર્દૂમાં કૌમી આવાઝ અને હિન્દીમાં નવજીવન પણ પ્રકાશિત કર્યું. દિલ્હી, મુંબઈ, લખનઉ, પટના અને પંચકુલા સહિતના વિવિધ શહેરોમાં AJLની સંપત્તિ છે.

તેનું પ્રકાશન 2008 સુધી ચાલુ રહ્યું. આ પછી કંપનીને ખોટમાં બતાવીને તેનું પ્રકાશન બંધ કરી દેવામાં આવ્યું હતું. કંપનીની એક મિલકત દિલ્હીમાં 5A હેરાલ્ડ હાઉસ, બહાદુરશાહ ઝફર માર્ગ, નવી દિલ્હી ખાતે આવેલી હતી. આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) એ કંપનીને 2010 સુધી વ્યાજમુક્ત લોન આપી.
નેશનલ હેરાલ્ડ કેસ ક્યારે ચર્ચામાં આવ્યો?
AICCએ લોન આપ્યા બાદ, AJLનું દેવું 2010ના અંત સુધીમાં વધીને 90.21 કરોડ રૂપિયા થઈ ગયું હતું. 23 નવેમ્બર 2010 ના રોજ, યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ (YIL) નામની નવી સંસ્થાની રચના કરવામાં આવી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ગાંધી પરિવારના વફાદાર સામ પિત્રોડા અને સુમન દુબે હતા. જો કે, કંપનીની સ્થાપના પછી તરત જ, બંને ડિરેક્ટરોએ તેમના શેર કોંગ્રેસના નેતાઓ ઓસ્કાર ફર્નાન્ડિસ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મોતીલાલ વોરા (હવે મૃતક)ને ટ્રાન્સફર કર્યા હતા.

13 ડિસેમ્બર, 2010ના રોજ, રાહુલ ગાંધીને યંગ ઈન્ડિયન્સના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 22 જાન્યુઆરી, 2011ના રોજ, સોનિયા ગાંધી બોર્ડમાં ડિરેક્ટર તરીકે જોડાયા. માર્ચ 2017 સુધીમાં, કંપનીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો હિસ્સો 38-38 ટકા થઈ ગયો, એટલે કે કુલ 76 ટકા. વોરા અને ફર્નાન્ડિસ પાસે 24 ટકા હિસ્સો બાકી છે.

યંગ ઈન્ડિયાએ ત્યાં સુધીમાં પોતાની જાતને એક ચેરીટેબલ સંસ્થા તરીકે રજીસ્ટર કરાવી હતી, જેનાથી તે 100% કર મુક્તિ માટે પાત્ર બને છે. રસપ્રદ વાત એ છે કે વર્ષ 2010માં યંગ ઈન્ડિયા માત્ર 5 લાખ રૂપિયામાં બની હતી. ALJ હસ્તગત કરતી વખતે યંગ ઈન્ડિયન પાસે 50 લાખ રૂપિયા પણ નહોતા. એક્વિઝિશન માટે, યંગ ઈન્ડિયાએ મેસર્સ ડોટેક્સ મર્ચેન્ડાઈઝ પ્રાઈવેટ લિમિટેડ, કોલકાતા પાસેથી રૂ. 1 કરોડની લોન લેવી પડી હતી.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ