આમચી મુંબઈમહારાષ્ટ્ર

રવિવારથી અજિત પવારની એનસીપીની જન સન્માન યાત્રા કાઢશે, કરશે આ કામ…

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પક્ષની સ્થિતિને મજબૂત કરવા માટે તેમ જ રાજ્યના લોકો સાથે જોડાવા માટે અજિત પવા જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) રવિવારથી જન સન્માન યાત્રા કાઢશે. પક્ષના પ્રદેશાધ્યક્ષ સુનિલ તટકરેની આગેવાનીમાં આ યાત્રા કાઢવામાં આવશે.

આ વિશે માહિતી આપતા અજિત પવાર જૂથના વિધાન પરિષદના સભ્ય શિવાજીરાવ ગરજેએ જણાવ્યું હતું કે જન સન્માન યાત્રાનો હેતુ લોકો સાથે જોડાઇ તેમની સમસસ્યાઓ જાણવાનો તેમ જ સરકારની યોજનાઓ વિશે તેમને માહિતગાર કરવાનો અને સંગઠનને મજબૂત કરવાનો છે. આ યાત્રામાં રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેવાશે.

આ પણ વાંચો: લાડકી બહેન યોજનાનો વિરોધ કરનારાને અજિત પવારનો જવાબ

તેમણે યાત્રા વિશે વધુ માહિતી આપતા કહ્યું હતું કે તટકરે 28 જુલાઇના રોજ નાશિકથી આ યાત્રા શરૂ કરશે અને દેવલાલી, સિન્નર, યુવલા, કોપરગાંવ અને અહમદનગર પહોંચશે. 29મી જુલાઇએ તે નિફાડ અને દિંડોરી પહોંચી મહાયુતિ સરકારની જનકલ્યાણની યોજના વિશે લોકોને જણાવશે અને સંગઠનને વધુ મજબૂત કરશે. તે રાજ્યના અન્ય ભાગોમાં પણ તે યાત્રા કરશે.

નારાયણ રાણેએ તેમનો પક્ષ તમામ 288 બેઠકો પર લડવા માટે તૈયાર હોવાના આપેલા નિવેદન વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે મહાયુતિ આગામી ચૂંટણીમાં તેમની સાથે જોડાણ કરશે અને રાણે આ મહાયુતિમાં મહત્ત્વનો ભાગ આ ચૂંટણી દરમિયાન ભજવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ