આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈના આ વિસ્તારમાં આવતા અઠવાડિયે ૧૭ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકાના (BMC) પાણીપુરવઠા વિભાગ દ્વારા જૂની અને જર્જરીત પાઈપલાઈનનું સમારકામ કરવાનું કામ મોટા પાયા પર હાથ ધરવામાં આવ્યું છે, જે હેઠળ ‘જી-દક્ષિણ’ (G-South)વોર્ડમાં તાનસા પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવવાનું છે. તેથી આવતા અઠવાડિયામાં ૧૭ કલાક માટે કરી રોડ, ડિલાઈલ માર્ગ, બીડીડી ચાલ અને લોઅર પરેલ વગેરે પરિસરમાં પાણીપુરવઠો બંધ રાખવામાં આવવાનો છે.

આ પણ વાંચો: Watershortage: મુંબઈગરા પાણી સાચવીને વાપરજો, જળાશયોમાં બચ્યું છે આટલું જ પાણી…

હાલ મુંબઈગરા પાંચ ટકા પાણીકાપનો સામનો કરી રહ્યા છે, તેમાં હવે આવતા અઠવાડિયામાં ‘જી’ વોર્ડમાં રેસકોર્સ પાસે ૧,૪૫૦ વ્યાસની તાનસા(પૂર્વ) અને તાનસા (પશ્ર્ચિમ) આ મુખ્ય પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામ ગુરુવાર, છ જૂનના રાતના ૯.૪૫ વાગ્યાથી શુક્રવાર, સાત જૂન, ૨૦૨૪ના બપોરના ત્રણ વાગ્યા સુધી ચાલવાનું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત