ટોપ ન્યૂઝનેશનલ

તિરંગાને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કર્યો મોટો આદેશ, જો જો તમે આટલું કરતા નહીં…

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની ઉજવણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલય એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમો દરમિયાન ઉપયોગમાં લેવાતા કાગળના બનેલા તિરંગાને કાર્યક્રમ પુર્ણ થયા બાદ જમીન પર ફેંકવામાં ન આવે.

ગૃહ મંત્રાલયે જણાવે છે કે ભારતીય રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી કરીને ધ્વજની ગરિમાને ધ્યાનમાં રાખીને કાગળના ત્રિરંગાનો ખાનગી રીતે નિકાલ કરવો જોઈએ.

મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફ્લેગ કોડના ભાગ-2 ના ફકરા 2.2 ની કલમ (x) અનુસાર રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતની ઘટનાઓ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ પ્રસંગોએ કાગળમાંથી બનેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. અને વિનંતી પણ કરવામાં આવે છે કે લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા કાગળના ધ્વજ કાર્યક્રમ પછી જમીન પર ફેંકવામાં ન આવે તેની ખાતરી કરવી. “ધ્વજની ગરિમાને ધ્યાનમાં રાખીને આવા ધ્વજનો ખાનગી રીતે નિકાલ થવો જોઈએ.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties”