ટોપ ન્યૂઝનેશનલ

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન, PM Modiની શોકાંજલિ

નવી દિલ્હીઃ ત્રણ દાયકાથી પણ વધારે સમયની રાજકીય કારકિર્દી ધરાવતા બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે. સુશીલ મોદી બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા. બિહારના વર્તમાન ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ X પર પોસ્ટ કરીને તેમના નિધનની જાણકારી આપી અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
સુશીલ મોદી છેલ્લા છ મહિનાથી કેન્સરની બીમારીની સારવાર લઈ રહ્યા હતા. તેમણે 3 એપ્રિલના રોજ તેની એક એક્સ-પોસ્ટમાં પોતાને કેન્સર હોવાની માહિતી આપી હતી. તેમના નિધનની ખબર બિહારના વર્તમાન ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ આપી હતી.
બિહારના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવનાર સુશીલ કુમાર મોદીનો જન્મ 5 જાન્યુઆરી 1952ના રોજ બિહારની રાજધાની પટણામાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ મોદી અને માતાનું નામ રત્ના દેવી હતું. તેમની પત્ની જેસી સુશીલ મોદી ખ્રિસ્તી ધર્મના છે અને પ્રોફેસર છે. તેમને બે પુત્રો છે, એકનું નામ ઉત્કર્ષ તથાગત અને બીજાનું નામ અક્ષય અમૃતાંક્ષુ છે.


સુશીલ કુમાર મોદીએ પટણા સાયન્સ કોલેજમાંથી બોટનીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ પ્રથમ વખત 1990માં બિહાર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 1995 અને 2000માં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ સતત ત્રણ વખત ધારાસભ્ય રહ્યા હતા.


સુશીલ કુમાર મોદીની ત્રણ દાયકા લાંબી રાજકીય કારકિર્દી રહી છે. આ સમયગાળા દરમિયાન, તેઓ ધારાસભ્ય, એમએલસી, લોકસભા સાંસદ અને રાજ્યસભા સાંસદ પણ હતા. બિહાર સરકારમાં નાણામંત્રી પદ પણ સંભાળ્યું. તેઓ બે વખત બિહારના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. તેઓ પ્રથમ વખત 2005 થી 2013 સુધી અને બીજી વખત 2017 થી 2020 સુધી ડેપ્યુટી સીએમ પદ સંભાળ્યા હતા.

સુશીલ મોદી એવા નેતાઓમાં સામેલ છે જેઓ વિદ્યાર્થી રાજકારણમાંથી મુખ્ય પ્રવાહના રાજકારણમાં આવ્યા છે. પટના યુનિવર્સિટી તેમના વિદ્યાર્થી રાજકારણની ભૂમિ બની ગઈ. 1973માં તેઓ વિદ્યાર્થી સંઘના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા. 1990 માં, તેઓ પ્રથમ વખત પટના સેન્ટ્રલ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી, તેઓ 1995 માં ધારાસભ્ય પણ ચૂંટાયા હતા અને પછી તેમને ભાજપના મુખ્ય દંડક બનાવવામાં આવ્યા હતા. આ પછી, તેઓ 2000 માં સતત ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. સુશીલ કુમાર મોદી 1996 થી 2004 સુધી બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશીલ મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમને યાદ કરીને પીએમએ સોશિયલ મીડિયા પર લખ્યું, પાર્ટીમાં મારા મૂલ્યવાન સાથી અને દાયકાઓથી મારા મિત્ર સુશીલ મોદીજીના અકાળ અવસાનથી ખૂબ જ દુઃખી છું.
બિહારમાં ભાજપના ઉદય અને તેની સફળતા પાછળ તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. ઇમરજન્સીનો સખત વિરોધ કરીને તેમણે વિદ્યાર્થી રાજકારણમાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. તેઓ ખૂબ જ મહેનતુ અને મૈત્રીપૂર્ણ ધારાસભ્ય તરીકે જાણીતા હતા. રાજકારણને લગતા વિષયોની તેમની સમજ ખૂબ ઊંડી હતી. તેમણે વહીવટદાર તરીકે પણ ઘણી પ્રશંસનીય કામગીરી કરી હતી. GST પસાર કરવામાં તેમની સક્રિય ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે. શોકની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ!.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress