ટોપ ન્યૂઝનેશનલ

આ તારીખે પીએમ મોદી આવશે મહારાષ્ટ્રમાં, જાણી લો શેડયૂલ

મુંબઈઃ આ મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે આવવાના છે ત્યારે પુણે ખાતેની એરપોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવે એવી શક્યતા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ અંગે મહત્ત્વની જાહેરાત કરી છે અને તેમણે વડા પ્રધાનને પુણે એરપોર્ટના નવા ટર્મિનલની બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાનું અપીલ કરી છે.

પવારે હાલમાં જ પુણેના કલેક્ટર અને ડેપ્યુટી ડિવિઝનલ કમિશનર સાથે એરપોર્ટ અને તેના રન-વેના વિસ્તારના મુદ્દાને લઇને ખાસ બેઠક હાથ ધરી હતી. આ રન-વેને એક કિલોમીટર સુધી વિસ્તારવામાં આવશે, એવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
વિમાનના ટેક-ઑફ અને લેન્ડિંગ માટે રન-વેના વિસ્તાર માટે 135 એકર જમીન હસ્તગત કરવાની જરૂર છે. આ કામગીરી શરૂ કરવાના આદેશ અજિત પવારે આ બેઠકમાં આપ્યા હતા.

આ પ્રોજેક્ટ માટેના ખર્ચનો 60 ટકા હિસ્સો રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે જ્યારે બાકીની રકમ પીએમએસ, પીસીએમસી અને પીએમઆરડીએ દ્વારા આપવામાં આવશે. હાલ પુણે એરપોર્ટના રન-વેની લંબાઇ 2539 મીટર છે, જેને એક કિલોમીટર સુધી વધારવાની પ્રક્રિયા શરૂ છે.

ઉલ્લેખનીય છે કે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં થઇ રહેલા વિલંબના કારણે વિપક્ષે કાગારોળ મચાવી છે ત્યારે તેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી કરે એવી અપીલ કરવામાં આવી હોવાનું અજિત પવારે જણાવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress